પાંચમા નોરતે માં સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે સ્કંદમાતા સંતાન આપવાની સાથે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જાણો માં દુર્ગાના પાંચમા સ્વરૂપની કેવીરીતે કરશો પૂજા.
પાંચમા નોરતે કરો માં સ્કંદમાતાની પૂજા
કેવીરીતે કરશો માં સ્કંદમાતાની પૂજા
સુખ-સમૃદ્ધીની સાથે-સાથે સંતાનની પણ થશે પ્રાપ્તિ
નવરાત્રીના પાંચમા દિવસે કેવીરીતે કરશો સ્કંદમાતાની પૂજા
આસો મહિનાના શુક્લ પક્ષના પાંચમા નોરતે નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીના પાંચમા દિવસે માં દુર્ગાના સ્વરૂપ માં સ્કંદમાતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. માનવામાં આવે છે કે સ્કંદમાતાની વિધિપૂર્વક પૂજા કરવાથી સુખ-સમૃદ્ધીની સાથે-સાથે સંતાન પ્રાપ્તિ થાય છે. જાણો નવરાત્રીના પાંચમા દિવસે કેવીરીતે કરશો સ્કંદમાતાની પૂજા. આ સાથે જાણો શુભ મુહૂર્ત, ભોગ અને મંત્ર.
સ્કંદમાતાનુ સ્વરૂપ ખૂબ પ્રેમાળ છે. માં દુર્ગાના સ્વરૂપ સ્કંદમાતાની ચાર ભુજાઓ છે, જેમાં બે હાથમાં કમળ છે, એક હાથમાં કાર્તિકેય બાળ રૂપમાં બેઠા છે અને અન્ય એક હાથમાં માં આશીર્વાદ આપી રહી છે. મહત્વનું છે કે, માંનુ વાહન સિંહ છે, પરંતુ તેઓ આ રૂપમાં કમળમાં બિરાજમાન છે.
સ્કંદમાતાની પૂજા વિધિ
નવરાત્રીના પાંચમા દિવસે માં દુર્ગાની પૂજા કરતા પહેલા કળશની પૂજા કરો. ત્યારબાદ માં દુર્ગા અને તેના સ્વરૂપની પૂજા આરંભ કરો. સૌથી પહેલા પાણીથી સ્નાન કરો. ત્યારબાદ માંને ફૂલ, માળા ચઢાવો. બાદમાં સિંદૂર, કુમકુમ, અક્ષત વગેરે લગાવો. પછી એક પાનમાં સોપારી, ઈલાયચી, પતાશા અને લવિંગ રાખીને ચઢાવી દો. ત્યારબાદ માં સ્કંદમાતાને ભોગમાં ફળમાં કેળા અને આ ઉપરાંત મિઠાઈ અર્પણ કરો. ત્યારબાદ પાણી અર્પણ કરો. ત્યારબાદ ઘીનો દીવો ધૂપ પ્રગટાવી માંના મંત્રનો જાપ કરો. ત્યારબાદ દુર્ગા ચાલીસા, દુર્ગા સપ્તશતીનો પાઠ કરો અને છેલ્લે દુર્ગા માંની સાથે સ્કંદમાતાની આરતી કરો.