નવરાત્રીના ચોથા દિવસે માં કુષ્માંડા દેવીની પૂજા થાય છે. માં ના આ સ્વરૂપને મંત્રના જાપથી પ્રસન્ન કરી શકાય છે. મંત્રના જાપથી નિરોગી રહેવાનો આશીર્વાદ મળે છે.
નિરોગી રહેવા માટે કરો માં કુષ્માંડાની પૂજા
માંના પૂજનમાં તેમના મંત્રોનુ વિશેષ મહત્વ
દેવીના આ સ્વરૂપને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે
માં કુષ્માંડાએ તેમના પેટમાંથી આ બ્રહ્યાંડને ઉત્પન્ન કર્યુ
કહેવાય છે કે માંના આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાં ક્યારેય પણ કષ્ટ આવતુ નથી. માંના આ સ્વરૂપમાં માતાના ચહેરા પર હળવી મુસ્કાન છે. પુરાણો મુજબ માં કુષ્માંડાએ તેમના પેટમાંથી આ બ્રહ્યાંડને ઉત્પન્ન કર્યુ છે. આ જ કારણ છે કે માંના આ સ્વરૂપને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે.
માંની પૂજા કરવાથી સંતાન સુખનો આશીર્વાદ મળે છે
લાંબા સમયથી સંતાન પ્રાપ્તિની કામના કરી રહેલા લોકોને કુષ્માંડા દેવીની પૂજા જરૂર કરવી જોઈએ. માંના પૂજનમાં તેમના મંત્રોનુ વિશેષ મહત્વ છે. આ મંત્રના લાભથી જીવનમાં નિરોગી રહેવુ અને સંતાન સુખનો આશીર્વાદ મળે છે.
આઠ ભુજાઓવાળી દેવીના આ સ્વરૂપને અષ્ટભુજા દેવી પણ કહેવામાં આવે છે. માંના ચોથા સ્વરૂપની પૂજા અને તેના મંત્રોનો જાપ કરવાથી ભક્તોના રોગનો નાશ થાય છે. જેનાથી ઉંંમર, યશ, બળ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. દેવી કુષ્માંડાની સાચા મનથી કરવામાં આવેલી સેવા અને ભક્તિથી તરત પ્રસન્ન થાય છે. મંત્રોના જાપથી માતાની કૃપા મળે છે. દેવી પોતાાના ભક્તોને સુખ-સમૃદ્ધી અને ઉન્નતિ પ્રદાન કરે છે. જે વારંવાર કોઈના કોઈ દુ:ખ, વિપદા અને કષ્ટોથી ઘેરાયેલા રહે છે, તેમણે માં કુષ્માંડાની પૂજા અવશ્ય કરવી જોઈએ.