26 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિ 2022નો આરંભ થઇ રહ્યો છે. આવો જાણીએ શારદીય નવરાત્રિમાં કળશ સ્થાપનાનુ મુહૂર્ત, વિધિ, સામગ્રી, મંત્ર અને નિયમ.
શારદીય નવરાત્રિ દેવી શક્તિ માં દુર્ગાને સમર્પિત
હિન્દુ ધર્મમાં શારદીય નવરાત્રિનુ વિશેષ મહત્વ છે. નવરાત્રિનુ પર્વ દેવી શક્તિ માં દુર્ગાને સમર્પિત હોય છે. આ દરમ્યાન માઈભક્તો નવ દિવસ સુધી વ્રત રાખે છે અને અલગ-અલગ દિવસે માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શારદીય નવરાત્રિનુ વ્રત રાખીને અને વિધિપૂર્વક માં દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ શારદીય નવરાત્રિમાં કળશ સ્થાપનાના મુહૂર્ત, વિધિ, સામગ્રી, મંત્ર અને નિયમ.
શારદીય નવરાત્રિ 2022 કળશ સ્થાપના શુભ મુહૂર્ત
આસો શુક્લ પક્ષ એકમ પ્રારંભ- 26 સપ્ટેમ્બર 2022, 3.24 AM
આસો શુક્લ પક્ષ એકમ સમાપન- 27 સપ્ટેમ્બર 2022, 3.08 AM
કળશ સ્થાપના સવારનુ મુહૂર્ત- 26 સપ્ટેમ્બર 2022, 6.17 AM - 7.55 AM
કળશ સ્થાપના અભિજીત મુહૂર્ત- 26 સપ્ટેમ્બર 2022, સવારે 11.54 થી બપોરે 12.45 મિનિટ સુધી
નવરાત્રિમાં કળશ સ્થાપનાનુ મહત્વ?
હિન્દુ ધર્મમાં તીજ, તહેવારો પર કળશ સ્થાપનાનુ વિશેષ મહત્વ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ, કળશમાં દેવી-દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ માનવામાં આવ્યો છે. કળશ સુખ-સમૃદ્ધી પ્રદાન કરનારું અને મંગળ કાર્યનુ પ્રતિક માનવામાં આવે છે. ઘટ એટલેકે કળશમાં શક્તિઓનો આહ્વાન કરી તેને સક્રિય કરવુ. નવરાત્રિમાં પણ કળશ સ્થાપના કરી સર્વે શક્તિઓનુ આહ્વાન કરવામાં આવે છે. જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે.
શારદીય નવરાત્રિ કળશ સ્થાપના સામગ્રી
જઉં વાવવા માટે પહોળા મોંઢાવાળુ માટીનુ પાત્ર
સપ્તધાન (7 પ્રકારના અનાજ)
સ્વચ્છ માટી, માટી અથવા તાંબાના કળશમાં સાથે ઢાંકણુ
કલાવા, નારિયેળ, લાલ પુષ્પ, સિંદૂર
ગંગાજળ, કેરી અથવા અશોકના પાન, અત્તર, સિક્કો
અક્ષત, લાલ કપડા, સોપારી, લવિંગ
ઈલાયચી, પાન, ધરો, મિઠાઈ, ધૂપ, અગરબત્તી
કળશ સ્થાપના પૂજા વિધિ
નવરાત્રિના પહેલા દિવસે કળશ સ્થાપના શુભ મુહૂર્તમાં જ કરો. સમયનુ ખાસ ધ્યાન રાખો.
માટીના વાસણમાં ખેતરની સ્વચ્છ માટી નાખો અને તેમાં સાત પ્રકારના અનાજ વાવો.
હવે વ્રતનો સંકલ્પ લઇને ઈશાન કોણમાં પૂજાની જગ્યાએ લાલ કપડુ પાથરો અને દેવી દુર્ગાની મૂર્તિની સ્થાપના કરો.
કળશ પર મૌલી બાંધો અને તેમાં કેરી અને અશોકના પાંચ પાન લગાવી દો.
હવે કળશની ઉપરથી લાલ ચુંદડીથી બાંધેલુ જટાવાળુ નારિયેળ મુકી દો. નારિયેળને ગણેશજીનુ પ્રતિક માનવામાં આવે છે, આ સાથે તેમાં ત્રિદેવનો વાસ હોય છે. કળશ પર રોલીથી સાથિયો બનાવો.
હવે જઉંવાળા પાત્ર અને કળશને માં દુર્ગાની મૂર્તિ આગળ મુકી દો.