આસો મહિનાના શુક્લ પક્ષની એકમથી એટલેેકે 26 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થશે. જેેનુ સમાપન 5 ઓક્ટોબરે થશે. નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. માં દુર્ગાની પૂજાથી મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનના તમામ દુ:ખ, દર્દ દૂર થાય છે.
26 સપ્ટેમ્બરથી થશે નવરાત્રિનો પ્રારંભ
નવરાત્રિ દરમ્યાન કરો આ કેટલાંક ઉપાય
ઘરમાં ક્યારેય નહીં સર્જાય નાણાની અછત
શારદીય નવરાત્રિમાં માં દુર્ગા હાથી પર સવાર થઇને આવશે
નવરાત્રિનો તહેવાર આવવામાં થોડા દિવસ બાકી છે. નવરાત્રિમાં માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. આ વર્ષે નવરાત્રિનો તહેવાર 26 સપ્ટેમ્બર 2022થી શરૂ થઇ રહ્યો છે અને તેનુ સમાપન 5 ઓક્ટોબર 2022ના રોજ થશે. એવુ જણાવવામાં આવે છે કે આ વર્ષે શારદીય નવરાત્રિમાં માં દુર્ગા હાથી પર સવાર થઇને આવશે. માનવામાં આવે છે કે જ્યારે માં દુર્ગા હાથી પર બેસીને આવે છે તો વરસાદ વધારે થાય છે. જેનાથી પ્રકૃતિમાં ચારે તરફ હરિયાળી છવાયેલી રહે છે અને આજુબાજુની ઘણી વસ્તુઓ સુંદર દેખાય છે.
નવરાત્રિ દરમ્યાન અમુક ઉપાયોને કરવા ખૂબ લાભદાયી માનવામાં આવે છે. આજે અમે તમને એવા ઘણા ઉપાયો અંગે જણાવીશું. જેને નવરાત્રિ દરમ્યાન કરવાથી માં દુર્ગાનો વિશેષ આશીર્વાદ મળે છે અને ઘરમાં ક્યારેય પણ નાણાની અછત થતી નથી.
નવરાત્રિના પહેલા દિવસે પૂજા વગેરે શરૂ કરતા પહેલા ઘરના મુખ્ય દરવાજા પર કેરી અથવા અશોકના પાનને બંદનવાર લગાવવાનુ ના ભૂલતા. આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે.
નવરાત્રિના પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર બંને તરફ સિંદૂરથી સાથિયાનુ ચિન્હ બનાવો અને હળદરથી મિલાવેલુ જળ અર્પણ કરો.
નવરાત્રિના પહેલા દિવસે માં દુર્ગાના પગલાના નિશાન ઘરની અંદર તરફ જતા લગાવો. આજકાલ માર્કેટમાં માં દુર્ગાના પગલાના નિશાનવાળા સ્ટીકર સરળતાથી મળી જાય છે. તમે ઈચ્છો તો તેને જાતે પણ લાલ પેઈન્ટથી બનાવી શકો છો.
નવરાત્રિ દરમ્યાન માતા લક્ષ્મીના મંદિરમાં જાઓ. ત્યારબાદ એક લાલ કપડામાં થોડુ કેસર, હળદર અને ચોખાને બાંધીને માં લક્ષ્મીને અર્પણ કરો અને થોડા ચોખા લઇને પોતાના ઘરે લઇને પાછા આવતા રહો. આ ચોખાને એવી જગ્યાએ નાખી દો જ્યાં તમારા પૈસા રહે છે. જેનાથી તમને આર્થિક તંગીનો સામનો કરવો પડશે નહીં.