27 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રિ શરૂ થશે અને પ્રતિપદાના દિવસે કળશની સ્થાપનાની સાથે નવરાત્રિ ઉત્સવ શરૂ થશે. કહેવાય છે માં પાસે સાચા મનથી જે પણ ઈચ્છા રાખે છે, તે અવશ્ય પૂરી થાય છે.
27 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રિ શરૂ થશે
ઘરમાં ઝગડા અને આર્થિક તંગીથી છો પરેશાન?
નવ દિવસ કરો માં દુર્ગાની ઉપાસના, થશે સંકટો દૂર
નવરાત્રિમાં નવ દિવસ કરો માં શક્તિની આરાધના
શારદીય નવરાત્રિ શરૂ થવામાં બસ હવે થોડા દિવસ વધ્યા છે. આ નવ દિવસ ભગવતીની ઉપાસના માટે હોય છે અને માં ભગવતી ક્યારેય પણ પોતાના ભક્તોને નિરાશ કરતી નથી. નવરાત્રિના આ નવ દિવસ ઉર્જાથી ભરપૂર હોય છે. આ દિવસોને ખૂબ શુભ માનવામાં આવે છે અને આ અવસર શક્તિ સાથે જોડાવાનો હોય છે. માં શક્તિસ્વરૂપ છે અને તેની આરાધના કરીને પોતાને શક્તિમય કરી શકાય છે અને નવરાત્રિ દરમ્યાન કોઈ એવુ કાર્ય ના કરવુ જોઈએ જેનાથી માતાજી રૂઠી જાય. આવો જાણીએ નવરાત્રિના આ પાવન દિવસોનો કેવીરીતે સદુપયોગ કરવામાં આવે.
ઘરનો ઝગડો દૂર કરવા માંગો છો તો આ મંત્રની સાથે આપો આહુતિ
તમારા ઘરમાં પારિવારિક ઝગડો છે, જેને કારણે તમે ખૂબ પરેશાન રહો છો તો નવરાત્રિની આઠમ અથવા નોમે વિધિ વિધાનપૂર્વક હવન કરો. તેમાં આ મંત્રનુ ઉચ્ચારણ કરીને 108 વખત આહુતિ આપો તો નિશ્ચિત રીતે ઘરમાં શાંતિ આવશે.
ઘરમાં દરરોજ ઓછામાં ઓછા 27 વખત આ મંત્રનો જાપ કરો અને બની શકે તો પરિવારજનો પણ જાપ કરે. આમ કરવાથી પરિવારનો માહોલ ઝડપથી બદલાશે.
આ ઉપાયથી દૂર થશે આર્થિક સંકટ
ધનલાભ માટે નવરાત્રિની આઠમ અને નોમે સ્વચ્છ સ્થાન પર ઉત્તરની દિશામાં મોંઢૂ રાખીને આસન પર બેસો. પોતાની સામે લાલ ચોખાનો ઢગલો બનાવીને તેના પર શ્રીયંત્ર મુકો. શ્રીયંત્રની સામે તેલના નવ દીવા પ્રગટાવી ઉપાસના કરો. પૂજા બાદ શ્રીયંત્રની પૂજા સ્થળ પર સ્થાપના કરો. વિશ્વાસ રાખો કે તમારી આર્થિક તંગી ધીરે-ધીરે દૂર થશે અને તમને ટૂંક સમયમાં ધનલાભ થશે. આ ઉપાય કરવાથી વ્યક્તિની દરિદ્રતાનો પણ નાશ થાય છે.
મનોકામના પૂર્તિ માટે આઠમે કરો આ કામ
મનોકામના પૂર્તિ માટે આઠમે શિવ મંદિરમાં જઇને પરિસરની સફાઈ કરો અને શિવલિંગ પર સૌથી પહેલા જળાભિષેક, પછી દૂધ, દહી, ઘી, મધ અને અત્તર વગેરે ચઢાવીને તેનો અભિષેક કરી મહાદેવનો શ્રૃંગાર સાચા મનથી કરો. પછી ભોળાનાથનુ ધ્યાન ધરો. આ દિવસે અથવા રાત્રે મંદિર અથવા ઘરમાં નાનો હવન કરાવો. જેમાં ઓમ નમ: શિવાયનો જાપ કરીને ઘીની 108 આહુતિ આપો.