ધાર્મિક માન્યતા અનુસાર શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મી સમુદ્ર મંથન દરમિયાન ક્ષીર સાગરમાંથી પ્રગટ થયા હતા. આ દિવસને માતા લક્ષ્મીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.
શરદ પૂનમે કરી લો આ એક કામ
માતા લક્ષ્મી થઇ જશે અતિ પ્રસન્ન
શરદ પૂનમે અમૃત વર્ષા થતી હોવાની માન્યતા
શું છે માન્યતા?
શરદ પૂનમ વિશે અઢળક માન્યતાઓ પ્રવર્તે છે. કહેવાય છે કે આજના દિવસે માતા લક્ષ્મી ઘૂવડ પર બેસીને ધરતી પર પધારે છે અને ઘરે ઘરે વિચરણ કે છે. આ રાતને કોજાગરી રાત પણ કહેવામાં આવે છે. પંચાગ ભેદના કારણે ભારતમાં કેટલાક લોકો આજે તો કેટલાક કાલે શરદ પૂનમની ઉજવણી કરશે.
કરી લો આ કામ
શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીને તેમની પ્રિય વસ્તુઓ ચઢાવવી જોઇએ. જેમ કે સિંઘોડા, કમળનું ફૂલ, પાનના પત્તા, સોપારી, ઇલાયચી અને સફેદ કોડી વગેરે. માન્યતા છે કે માતા લક્ષ્મી સફેદ કોડીઓથી રમીને પ્રસન્ન થાય છે.
માતા લક્ષ્મીને પાન ખુબ પ્રિય છે. માટે તેમની પૂજામાં પાન જરૂર ચઢાવવું જોઇએ. શરદ પૂનમના દિવસે માતા લક્ષ્મીને અર્પિત કરેલુ પાન પ્રસાદ તરીકે બધાને આપવું જોઇએ.
શરદ પૂનમની રાત્રે અમૃત વર્ષા થાય છે માટે થોડા સમય માટે ચાંદાની રોશનીમાં કેસર ખીરને રાખવી પણ શુભ માનવામાં આવે છે અને આને પ્રસાદના રૂપમાં ગ્રહણ કરવી જોઇએ.
શરદપૂનમ પર અષ્ટ લક્ષ્મીનું પૂજન ફળકારી માનવામાં આવે છે. આ દિવસે એક સોપારીને પાનમાં લપેટીને લક્ષ્મીને અર્પિત કરો. બાદમાં તેને તિજોરીમાં રાખવાથી ક્યારેય ધનની કમી નહી થાય.