શરદપૂર્ણિમાની રાત્રીએ ચાંદનીની શીતલતા માટે સફેદ કપડા પહેરવાનું મહાત્મ્ય
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ પ્રભાસ પાટણ તીર્થધામમાં જો તમે શરદ પૂનમની રાત્રી એ આવો તો નગર માં સફેદ વસ્ત્રોમાં સજ્જ દંપતીઓ દેવાલ મા દર્શન કરતા કે સમુદ્ર કિનારે પૂર્ણિમાના પર્વ જોવા અચૂક મળે જ. આજના દિવસે સફેદ વસ્ત્રોનો સ્પેશિયલ ડ્રેસકોડની પરંપરા આજકાલની નહીં પણ વર્ષો થી ચાલી આવે છે.
સોમનાથ માં સફેદ વસ્ત્રો નો સ્પેશિયલ ડ્રેસ કોડ
સોમનાથ તીર્થનગરીમાં તીર્થપુરોહિત ગણાતા સોમપુરા બ્રામણ સમાજ આદરભર્યુ સ્થાન ધરાવે છે આ નગરમાં પ્રતિવર્ષે શરદપૂનમની રાત્રે આ તીર્થપુરોહિતના પરિવારના નાના હોય કે મોટા દંપતીઓ અચૂક સફેદ વસ્ત્રો પહેરવાની પરંપરા નિભાવી રહ્યા છે. શરદ પૂનમની રાત્રે દેવાલયના દર્શન કરવા જાય ત્યારે સફેદ વસ્ત્રોમાં સજ્જ જોવા મળે છે પછી પુરુષ સફેદ ઝભ્ભા સફેદ કૂર્તા કે સફેદ પેન્ટ શર્ટ અને મહિલાઓ સફેદ ચમકદાર સાડી પહેરે છે, આમ એક તરફ શરદ પૂનમનો ચમકતો ચંદ્ર અને બીજી બાજુ આ તીર્થમાં પરંપરાગત સફેદ વસ્ત્રોમાં સજ્જ દંપતીઓનું નગરપરિભ્રમણ અદભૂત સામ્યતાના દર્શન કરાવે છે.
ચાંદનીની શીતલતા સાથે સફેદ વસ્ત્રોનો સમન્વય
સોમનાથ તીર્થધામમાં શરદ પૂનમે દંપતીઓના સ્પેશિયલ સફેદ વસ્ત્રો પરિધાન કરવાની પરંપરા અંગે સોમપુરા બ્રામણ સમાજના પ્રમુખ દુષ્યંત ભટ્ટ અને સોમનાથ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જયદેવ જાની અને મિલનભાઈ જોષી કહે છે દેશમાં માત્ર સોમનાથમાં શરદ પૂર્ણિમાએ દંપતીઓ સફેદ વસ્ત્રોમાં સજ્જ જોવા મળશે અને મહાત્મ્યમાં મહત્વના કારણ દર્શાવી આ અગ્રણીઓ કહે છે કે શરદપૂનમ એ ચંદ્ર પૃથ્વીની નજીક હોઇ અને આ ચંદ્રની ચાંદનીની શીતલતા માટે અન્ય કલર ના કે રંગબેરંગી વસ્ત્રોને બદલે સફેદ વસ્ત્રો પહેરવાથી શીતલતા શરીરને સીધી રીતે સ્પર્શી શકે તેથી જ સમાજના દંપતીઓ શરદ પૂનમ એ સફેદ વસ્ત્રો અચૂક પહેરેલ જોવા મળે છે.
સોમનાથ ના સમુદ્ર કિનારે પહેલા લોકો ઉમટતા
સોમનાથમાં તીર્થધામ માં દંપતીઓ સફેદ વસ્ત્રો માં દેવાલયો માં ખાસ પૂનમ ની રાત્રી ના દર્શન કરી આ સફેદ વસ્ત્રો માં જ દંપતીઓ પહેલા તો સોમનાથ ના સમુદ્ર કિનારે ઉમટતા હતા અને સમુદ્ર અને સોમનાથ નું સાનિધ્યમાં શરદપૂર્ણિમા એ દૂધપૌવા પણ લોકોં આરોગતા હતા હવે સોમનાથ ના સમુદ્ર કિનારે સાંજપછી લોકોં ની અવરજવર પર પ્રતિબંધ હોવાથી સોમનાથ મંદીર આસપાસ સફેદ વસ્ત્રો માં સજ્જ દંપતીઓ ધુમતા હોઇ છે
શરદ પૂનમે ભક્તો સાથે ભગવાનને સફેદ વસ્ત્રોમાં
સોમનાથ તીર્થધામમાં આવેલા દેત્યસુદન ભગવાનનું મંદિર કે અન્ય મંદીરોમાં ભગવાનને શણગાર પણ સફેદવસ્ત્રોનો હોય છે જેથી જ ભગવાન અને ભક્તો સફેદ વસ્ત્રો માં જ હોય છે.