શરદ પૂર્ણિમાનાં દિવસે ચંદ્રનાં પ્રકાશમાં રાખેલી ખીર ખાવાથી આયુર્વેદ એક્સપર્ટ વૈદ્ય મિહિર ખત્રી અનુસાર 15 બીમારીઓથી રાહત મળે છે.
શરદ પૂર્ણિમાનાં દિવસે ચંદ્રનાં પ્રકાશમાં રખાવામાં આવે છે ખીર
આ ખીર ખાવાથી મળે છે 15 રોગોથી મુક્તિ
આયુર્વેદ એક્સપર્ટ વૈદ્ય મિહિર ખત્રીએ જણાવ્યા આ ખીરનાં ફાયદાઓ
શરદ પૂર્ણિમાનાં દિવસે ચંદ્રનાં પ્રકાશમાં રખાવામાં આવે છે ખીર
શરદ પૂર્ણિમાનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ જ એ દિવસ છે જયારે ખીર તૈયાર કરવામાં આવે છે, પછી તે ખીરને ઘરની બહાર, છત અથવા ગેલેરી પર રાખવામાં આવે છે. આ હિસાબે ચંદ્રનાં કિરણો સીધા ખીર પર પડે છે. આ વાસણને થાળીની જગ્યાએ પાતળા કપડાથી ઢાંકવામાં આવે છે.
ઘરના વડીલો હંમેશા કહે છે કે શરદ પૂર્ણિમાની ખીરમાં ચંદ્ર અમૃત મેળવી દે છે ઘણા રોગોથી છૂટકારો મળે છે. હવે આ વાત આયુર્વેદમાં પણ સાબિત થઇ ચુકી છે. આયુર્વેદ એક્સપર્ટ વૈદ્ય મિહિર અનુસાર, ખીરને કારણે ઘણા રોગોથી રાહત મળવાની વાત ખોટી નથી. શરદ પૂર્ણિમાની ખીરમાં ખરેખર ચંદ્રનાં કિરણો એવા તત્વો મેળવે છે, જે પેટ સાથે જોડાયેલા રોગોથી મુક્તિ અપાવે છે.
માત્ર આટલું જ નહીં, ચંદ્રના કિરણો સાથે જોડાયેલા એવા પણ અમુક ઉપાયો સામે આવ્યા છે, જેને અપનાવીને તમે અલગ અલગ પ્રકારના રોગોથી મુક્તિ મેળવી શકો છો. વૈદ્ય મિહિર ખત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આવી જ માહિતી શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે શરદ પૂર્ણિમાની ખીરની સાથે અન્ય કયા ફાયદાઓ લઈ શકાય છે.
શરદ પૂર્ણિમાનાં અવસર પર દૂધ, ભાત અને ખાંડની ખીર બનાવવામાં આવે છે.
આ ખીરને આખી રાત ચંદ્રની રોશનીમાં બહાર રાખવામાં આવે છે.
વૈદ્ય મિહિર ખત્રી અનુસાર, ચંદ્રનાં કિરણો આ દિવસે એટલા શીતળ હોય છે કે તેની અસરથી ખીર પણ ઠંડી થઇ જાય છે.
આ ખીરને ખાવાથી પિત્ત સાથે જોડાયેલી સમસ્યાઓ ઓછી થઇ જાય છે.
એસીડીટી, સ્કિન રેશીઝ, પેટમાં બળતરા, આર્ટીકેરીયા જેવી બીમારીઓથી આ ખીર ખાવાથી રાહત મળે છે.
આ વર્ષે આ ખીર 9 ઓક્ટોબરનાં રોજ બનાવીને રાત્રે ચંદ્ર સામે રાખવામાં આવશે.
શરદ પૂર્ણિમાની ખીરનાં આયુર્વેદિક ફાયદાઓ
સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓમાં અસરકારક
જે લોકો કોઈપણ સ્કિન સાથે જોડાયેલી સમસ્યાઓથી પીડિત છે, તેમણે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રનાં પ્રકાશમાં બેસવું જોઈએ. વૈદ્ય મિહિર ખત્રીની પોસ્ટ અનુસાર, શરદ પૂર્ણિમાનાં ચંદ્રની કિરણો સ્કીનના રોગથી છૂટકારો અપાવે છે અને જલ્દી હિલીંગમાં મદદ કરે છે.
આંખમાં ઇન્ફેકશન થવા પર
તમારી આંખમાં સતત, વારંવાર ઇન્ફેકશન થાય છે, તો શરદ પૂર્ણિમા પર તેનો ઈલાજ મળી જશે. વૈદ્ય મિહિર ખત્રીની સલાહ મુજબ આંખમાં કોઈ ઇન્ફેકશન થવા પર શરદ પૂર્ણિમાનાં ચંદ્રને નિહાળવો જોઈએ. આમ પાંચ અથવા દસ મિનિટ સુધી કરવું. ચંદ્રની કિરણોથી આંખને ઠંડક મળે છે અને રોગનો પ્રભાવ ઓછો થાય છે.
પિત્ત સાથે જોડાયેલ સમસ્યાઓમાં રાહત
આયુર્વેદ એક્સપર્ટ શરદ પૂર્ણિમાનાં ચંદ્રના પ્રકાશમાં મીસરી રાખવાની પણ સલાહ આપે છે. મિશ્રીથી પિત્ત શાંત થાય છે. શરદ પૂર્ણિમામાં ચંદ્રનાં પ્રકાશને ગ્રહણ કરનાર મીસરી પિત્ત સાથે જોડાયેલા રોગો માટે ઔષધીનું કામ કરે છે.
UTIથી મળે છે રાહત
આ ઉપરાંત UTI એટલે કે યૂરીનરી ટ્રેક ઇન્ફેકશન થવા પર ઔષધીય મીસરી અને કોથમીર મેળવીને ખાવાથી આરામ મળે છે. આમ કરવાથી છાતીમાં બળતરા, મૂંઝવણ, ઉલટીમાં પણ રાહત મળે છે.