આજે અમે તમને જણાવવા જઈએ રહ્યા છીએ કે શરદ પૂર્ણિમાની રાત્રે શું કરવું અને શું ન કરવું જોઈએ..
શરદ પૂર્ણિમાની રાત્રે શું કરવું અને શું ન કરવું જોઈએ
શરદપૂનમની રાત્રે દેવી-દેવતાઓને ખીર અર્પણ કરવામાં આવે છે
શરદપૂનમ પર ઘરને ગંદુ ન રાખવું જોઈએ.
માન્યતા અનુસાર આ શરદ પૂર્ણિમા પર ચંદ્ર 16 કલાઓથી સજ્જ થઈને પૃથ્વીની સૌથી નજીક આવે છે. શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા, કૌમુદી વ્રત અને રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ વખતે શરદ પૂર્ણિમા 09 ઓક્ટોબર, 2022ના રોજ આવી રહી છે. શરદપૂનમની રાતનું ધાર્મિક મહત્વ છે અને સાથે આ સાથે એવી ધાર્મિક માન્યતા છે એ રાત્રે ચંદ્ર, મા લક્ષ્મી અને ભગવાન શ્રીકૃષ્ણની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે તો દરેક ઈચ્છા પૂરી થાય છે.
સાથે એવી પણ માન્યતા છે કે શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન પછી મા લક્ષ્મી પ્રગટ થયા હતા અને એ કારણે શરદ પૂર્ણિમાના દિવસે મા લક્ષ્મી પૃથ્વી પર પોતાની કૃપા વરસાવે છે. આટલું જ નહીં શરદપૂનમની રાત્રે દેવી-દેવતાઓને ખીર અર્પણ કરવામાં આવે છે. આજે અમે તમને જણાવવા જઈએ રહ્યા છીએ કે શરદ પૂર્ણિમાની રાત્રે શું કરવું અને શું ન કરવું જોઈએ..
શરદ પૂર્ણિમા પર શું કરવું જોઈએ?
1. શરદપૂનમના દિવસે ઘરની સારી રીતે સાફ-સફાઇ કરો.
2. આ રાત્રે મા લક્ષ્મીની પૂજા કરો. એવી ધાર્મિક માન્યતા છે કે શરદપૂનમની રાત્રે મા લક્ષ્મી પૃથ્વી પર વિહાર કરે છે.
3. શરદપૂનમની રાત્રે તમારા ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખો. સાથે જ ઘરને લાઇટથી સજાવીને રાખો.
4. મા લક્ષ્મીને ખીર ખૂબ જ પસંદ છે એટલા માટે શરદ પૂર્ણિમા પર એમને ખીરનો ભોગ લગાવો. આ સિવાય દૂધમાંથી બનેલી મીઠાઈનો ભોગ પણ લગાવી શકાય છે.
5. શરદપૂનમની રાત્રે ચંદ્ર દેવની પૂજા કરો. તેમને દૂધ, પાણી, ફૂલ અને અક્ષત મિક્સ કરીને અર્પણ કરો. આમ કરવાથી કુંડળીના ચંદ્ર દોષ દૂર થશે.
6. શરદપૂનમની રાત્રે ખીર બનાવીને છત પર રાખી આવો. ચંદ્રના ઔષધીય કિરણો તેમાં પડવાથી એ ખીર અમૃત સમાન બની જશે અને તેને ખાવાથી વ્યક્તિ નીરોગી બને છે.
7. શરદપૂનમની રાત્રે સુખ-સમૃદ્ધિ માટે ઘીના 100 દીવા પ્રગટાવો.
શરદ પૂર્ણિમા પર શું ન કરવું?
1. શરદપૂનમ પર ઘરને ગંદુ ન રાખવું જોઈએ. ગંદા ઘરમાં મા લક્ષ્મી નથી આવતી.
2. શરદપૂનમ પર મા લક્ષ્મી ભ્રમણ કરીને જુએ છે કે કોનું ઘર ખુલ્લું છે અને કોના ઘરમાં રોશની છે. મા લક્ષ્મી એવા ઘરમાં પ્રવેશે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ઘરનો મુખ્ય દરવાજો બંધ ન રાખવો જોઈએ.
3. એ દિવસે ઘરમાં અંધકાર ન રાખવું જોઈએ.
4. આ દિવસે ચંદ્રથી જોડાયેલ કોઈ પણ વસ્તુનું અનાદર ન કરવું જોઈએ.