નવરાત્રી ચાલી રહી છે, ત્યારબાદ દિવાળીની તૈયારીઓ શરૂ થઇ જશે. દિવાળી આ વખતે 24 ઓક્ટોબર 2022ના દિવસે આવી રહી છે. આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. શું તમને ખબર છે કે દિવાળીના 15 દિવસ પહેેલા પણ માં લક્ષ્મીની પૂજા કરવાનુ વિધાન છે.
દિવાળીથી 15 દિવસ પહેલા આ ખાસ દિવસે કરો માં લક્ષ્મીની પૂજા
આખી રાત જાગીને માં લક્ષ્મીના ભજન-કિર્તન કરવામાં આવે છે
વિધિપૂર્વક પૂજા કરવાથી ભક્તો પર માંની વિશેષ કૃપા થાય છે પ્રાપ્ત
દિવાળી આ વખતે 24 ઓક્ટોબર મનાવવામાં આવશે
પ્રકાશ પર્વ દીવાળીનુ હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. આ વખતે દિવાળી 24 ઓક્ટોબરે મનાવવામાં આવશે. આ દિવસે માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે, પરંતુ શું તમને ખબર છે કે દિવાળીના 15 દિવસ પહેલા પણ માં લક્ષ્મીનો દિવસ હોય છે. આ દિવસે પણ તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસને શરદ પૂર્ણિમા અથવા કોજાગરી કહેવામાં આવે છે. આ વર્ષે શરદ પૂનમ 9 ઓક્ટોબરે છે.
આખી રાત જાગરણ
આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાને શરદ પૂનમ કહે છે. શરદ પૂનમના દિવસે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આખી રાત જાગીને તેમના ભજન-કીર્તન કરવામાં આવે છે. માન્યતા છે કે આ રાત્રે દેવરાજ ઈન્દ્ર જાતે ધરતી પર આવે છે અને જોવે છે કે કોણ જાગરણ કરી રહ્યું છે.
માં લક્ષ્મીના પગ
શરદ પૂનમના દિવસે આખી રાત જાગરણ કરીને માં લક્ષ્મીની વિધિપૂર્વક પૂજા કરનારા લોકોને માં લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે માં લક્ષ્મીના પ્રવેશ માટે લોકો ઘરના દરવાજા પરથી પૂજા સ્થળ સુધી તેના પગલા બનાવે છે. આ દિવસે ખીર બનાવવાની પણ પરંપરા છે.
ખીરનો વિશેષ પ્રસાદ
માં લક્ષ્મીને રાત્રે વિશેષ ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે રાત્રે ચંદ્રની રોશનીમાં ખીર રાખવાથી તેમાં અમૃતના ટીપા પડે છે. તેથી મોટાભાગના લોકો રાત્રે ગાયના દૂધમાંથી બનાવેલી ખીર ચંદ્રની રોશનીમાં રાખે છે્, પછી તેને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે.