દર મહિનાની પૂનમની તિથિને શુભ જ માનવામાં આવે છે. પરંતુ આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમનું ખાસ મહત્વ છે.
આસો મહિનાની પૂનમે આવે છે શરદ પૂનમ
જાણો તિથિ અને શુભ મુહૂર્ત
શરદ પૂનમના દિવસે શું કરશો?
આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમને શરદ પૂનમ કહે છે. જ્યોતિષ અનુસાર આ રાતે ચંદ્ર સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે. ચંદ્રમાંથી નિકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાતે આકાશમાંથી અમૃત વરસે છે. આ વર્ષે આ પૂનમ 19 ઓક્ટોબર 2021ના દિવસે મંગળવારે આવે છે.
શરદ પૂમન પર મંદિરોમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે. શરદ પૂનમનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ રાતમાં માતા લક્ષ્મી ભ્રમણ કરવા માટે નિકળે છે. આ રાતે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. માટે ચંદ્રનો પ્રકાશ પૃછ્વીને પોતાના આગોશમાં લઈ લે છે.
શરદ પૂનમના દિવસે શું કરશો?
શરદ પૂનમના દિવસે સવારે ઉઠીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને પવિત્ર નદી, જળાશય અથવા કુંડમાં સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ આરાધ્ય દેવને સુંદર વસ્ત્ર, આભૂષણ પહેરાવવા જોઈએ. આવાહન, આસન, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નિવેદ, તાંબૂલ, સોપારી અને દક્ષિણા આપી પૂજા કરો.
રાત્રિના સમયે ગાયના દૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્ષ કરી અડધી રાત્રે ભગવાનને ભોગ લગાવો. રાત્રમાં ચંદ્રમાના આકાશના મધ્યમાં સ્થિત હોવા પર ચંદ્ર દેવની પૂજા કરો તથા ખીરનું નિવેદ અર્યણ કરો. રાતે ખૂરથી ભરેલું વાસણ ચંદ્રની રોશનીમાં મુકીને બીજા દિવસે તેને ગ્રહણ કરો અને બધાને પ્રસાદ આપો.
શરદ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત (Sharad Purnima Tithi And Shubh Muhurat)
શરદ પૂનમનું શુભ મુહૂર્ત 19 ઓક્ટોબર 2021એ સાંજે 7 વાગ્યાથી 20 ઓક્ટોબર 2021એ રાતે 8: 20 સુધી છે.
શરદ પૂનમ પર શું રાખશો સાવધાની
આ દિવસે ફક્ત જળ અને ફળ ખાઈને ઉપવાસ કરવાનો પ્રયત્ન કરો. ઉપવાસ ન કરો તો આ દિવસે સાત્વિક ભોજન કરો તે વધારે સારૂ રહેશે. શરીર શુદ્ધ અને ખાલી રહેવાના કારણે તમે વધારે સારી રીતે અમૃતની પ્રાપ્તિ કરી શકશો. તેના માટે કાળા રંગનો પ્રયોગ ન કરો. ચમકદાર સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો તો વધારે સારૂ રહેશે.