મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા રાજ્યના ધાર્મિક સ્થળો ખોલવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્ર બાદ હવે NCP ના વડા શરદ પવારે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પવારે રાજ્યપાલ કોશ્યારીના પત્રની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. પવારે પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે "રાજ્યપાલ કોશ્યારીએ લખેલા પત્રની અસંયમિત ભાષાથી હું સ્તબ્ધ છું"
પીએમ મોદી ને લખેલા પત્રમાં શરદ પવારે કહ્યું કે, હું અહીં અભિવ્યક્ત કરવા માંગુ છું કે માનનીય રાજ્યપાલ કોઈપણ મુદ્દે સ્વતંત્ર મંતવ્ય રાખી શકે છે. મુખ્યમંત્રીને તેમના (રાજ્યપાલના) મંતવ્યોથી વાકેફ કરવા બદલ હું રાજ્યપાલની પ્રશંસા કરું છું. જો કે, રાજ્યપાલ દ્વારા મુખ્યમંત્રીને મોકલાયેલ પત્ર અને પત્રમાં ભાષાના પ્રકારનો ઉપયોગ જોઈને મને આશ્ચર્ય થાય છે. ''
મને આશા છે કે તમે પણ પત્રની ભાષા પ્રત્યે ધ્યાન આપ્યું હશે": શરદ પવાર
NCP ના વડાએ આગળ લખ્યું કે, "મને ખાતરી છે કે તમે પણ અહીં ઉપયોગમાં લેવાયેલ ભાષા પર ધ્યાન આપ્યું હશે." આપણાં બંધારણની પ્રસ્તાવનામાં 'સેક્યુલર' શબ્દ ઉમેરવામાં આવ્યો છે, જે તમામ ધર્મો પ્રત્યે આદર દર્શાવે છે. જેના લીધે મુખ્યમંત્રીએ તેમના કાર્યકાળ દરમિયાન તેને જાળવી રાખવું જરૂરી છે" તેમણે કહ્યું," દુર્ભાગ્યવશ, માનનીય રાજ્યપાલ તરફથી મુખ્ય પ્રધાનને લખેલ પત્ર જાણે કોઈ રાજકીય પક્ષના નેતાને લખવામાં આવ્યો હોય.તેમ છે"
શું ફક્ત ધાર્મિક સ્થળો ખોલવા એ જ તમારા માટે હિન્દુત્વ છે ? : ઉદ્ધવ ઠાકરે નો રાજ્યપાલને પ્રશ્ન
નોંધનીય છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે ને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યપાલ કોશ્યારી એ કહ્યું હતું કે ધર્મસ્થળો ખોલવાની માગણી સાથે પ્રતિનિધિમંડળો તરફથી તેમને ત્રણ અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે પત્રમાં લખ્યું કે તમે અચાનક બિનસાંપ્રદાયિક બની ગયા છો? તેના જવાબમાં, ઠાકરેએ સવાલ કર્યો કે શું રાજ્યપાલ કોશ્યારી માટે હિન્દુત્વનો અર્થ ફક્ત ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવાનો હતો અને તેમને ન ખોલવાનો અર્થ શું ધર્મનિરપેક્ષ હોવું એમ થાય છે"
શું ધર્મનિરપેક્ષતા બંધારણનો ભાગ નથી? : શરદ પવાર
ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે શું ધર્મનિરપેક્ષતા બંધારણનો મહત્વપૂર્ણ ભાગ નથી, જ્યારે તમે રાજ્યપાલ હતા ત્યારે તમે કોના નામ પર શપથ લીધા હતા? લોકોની ભાવનાઓ અને આસ્થાઓને ધ્યાને રાખવાની સાથે જ તેમના જીવનની રક્ષા પં એટલી જ જરૂરી છે. અચાનક લોકડાઉન લગાડી દેવું અને ફરી તેને સમાપ્ત કરી દેવું તે યોગ્ય નથી.