મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં સામેલ દળો વચ્ચે જાણે શીત યુદ્ધ ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક એવું પગલું લીધું છે કે જેનો શિવસેનાના સહયોગી દળ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના પ્રમુખ શરદ પવાર પ્રારંભથી જ વિરોધ કરતાં આવ્યાં હતા.
શરદ પવારે કર્યો હતો વિરોધ, ઉદ્ધવ ઠાકરેએ આપી મંજૂરી
પવારે કહ્યું હતું કેન્દ્રને ભાંડો ફૂટી જવાનો ડર હોય તપાસ NIA ને સોંપી
ગૃહમંત્રી દેશમુખ પહેલાથી જ કરી રહ્યાં હતા વિરોધ, હવે કહ્યું CM નો નિર્ણય છે
ગત મહીને મહારાષ્ટ્ર સરકારે પણ ભીમા કોરેગાંવ હિંસા ની તપાસ રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને સોંપવાનો વિરોધ કર્યો હતો. પરંતુ હવે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તેની મંજૂરી આપી દીધી છે. જો કે મહારાષ્ટ્ર સરકારના આ પગલાને NCP પ્રમુખ શરદ પવારે ખોટો જણાવ્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે ગત મહિને આરોપ લગાવ્યો હતો કે કેન્દ્રએ ભાંડો ફુટી જવાના ડરથી ભીમા-કોરેગાવ હિંસા મામલે તપાસ NIA ને સોંપી છે. શરદ પવારે કહ્યું હતું કે અન્યાય વિરુધ્ધ બોલવું નક્સલવાદ નથી.
શરદ પવારે કહ્યું કે માર મંતવ્ય મુજબ સરકારને ડર છે કે તેમનો ભાંડફૂટી જશ. એટલા માટે (NIA ને તપાસ સોંપવાનો) નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત મહીને NCP પ્રમુખ શરદ પવારની અને ભીમા કોરેગાવ મામલે તપાસને લઇને ઉઠેલા સવાલ બાદ મહારાષ્ટ્ર સરકારે આ મામલે રિવ્યુ મિટિંગ બોલાવી હતી. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ મામલાની તપાસ NIA ને સોંપી દીધી. જો કે હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તરફથી પણ ભીમા કોરેગાવ મામલા તપાસ NIA ને સોંપવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આ પગલાથી શરદ પવાર નાખૂશ જોવા મળી રહ્યાં છે.