મહારાષ્ટ્રની રાજનીતિનું રાતો રાત આખુ ચિત્ર બદલાઈ ગયુ. શનિવાર સવારે અચાનક જ દેવેન્દ્ર ફડણવીસના સીએમ તરીકે શપથ લઈને ફરીથી ભાજપા અને NCP હમ સાથ સાથ હૈનો સૂર રેલાવતા શિવસેના હક્કીબક્કી રહી ગઈ હતી. શુક્રવારની મોડી રાત સુધી કોંગ્રેસ NCPનું ગઠબંધન નક્કી હતુ અને આ બંનેના સહકારથી શિવસેના સત્તારૂઢ થવાનું હતુ. પરંતુ હાલના સમીકરણ બાદ મોઢે આવેલો કોળિયો શિવસેના પાસેથી છીનવાઈ ગયો હતો. ત્યારે શરદ પવારે શિવસેનાને દગો આપ્યો કે શું એવી વાત વચ્ચે હવે પવારે આપેલા નિવેદન બાદ ફરી એકવાર ખળભળાટ મચી ગયો છે.
કાકા હતા ભત્રીજાની રાજનીતિથી અજાણ
પાર્ટીનો નહી અજીતનો પોતાનો છે નિર્ણયઃ શરદ પવાર
અમારે આ ગઠબંધનની મહારાષ્ટ્ર સરકાર સાથે કોઈ લેવા દેવા નથીઃ પ્રફુલ્લ પટેલ
કાકા-ભત્રીજાની મિલિભગત છે કે, ભત્રીજાએ કાકાને સાઈડલાઈન કર્યા છે તે અંગેની અટકળો આજ સવારથી જ્યારથી ફડણવીસે શપથ લીધા ત્યારથી થઈ રહી છે. ત્યારે શરદ પવારે સામેથી આવીને કબૂલાત કરી દીધી છે કે, આ નિર્ણય NCP પાર્ટીનો નથી આ ફેંસલો અજીતનો છે. તો NCP ના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં રચવામાં આવેલી સરકાર સાથે શરદ પવારને કોઈ લેવા દેવા નથી. ભાજપને સમર્થન આપવાનો નિર્ણય અજીત પવાર પોતાનો છે.
પાર્ટીનો નહી અજીતનો પોતાનો છે નિર્ણયઃ શરદ પવાર
અમારે આ ગઠબંધન સાથે કોઈ લેવા દેવા નથી. અજીત પવારે જાતે આ નિર્ણય લીધો છે. આમ નિર્ણય લઇને તેણે પાર્ટીના ટુકડા કરી નાંખ્યા છે.
અમારે આ ગઠબંધનની મહારાષ્ટ્ર સરકાર સાથે કોઈ લેવા દેવા નથીઃ પ્રફુલ્લ પટેલ
NCP નેતા પ્રફુલ્લ પટલે જણાવ્યું હતું કે શરદ પવાર અને NCPને આ ગઠબંધનની મહારાષ્ટ્ર સરકાર સાથે નહાવા નીચાવાનોય સંબધ નથી. આ અજીતનો પોતાનો નિર્ણય છે. શરદ પવાર પણ આનાથી અજાણ હતા.
Sharad Pawar: Ajit Pawar's decision to support the BJP to form the Maharashtra Government is his personal decision and not that of the Nationalist Congress Party (NCP).
We place on record that we do not support or endorse this decision of his. pic.twitter.com/9WvYLItL7X