અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના સંજય રાઉત અને તે બાદ હવે એનસીપીના ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ સરકારના સમર્થનમાં આવી ગયા છે. પવારે કહ્યું કે તેમને મહારાષ્ટ્રની સરકાર અને મુંબઈ પોલીસ પર પૂરો વિશ્વાસ છે. જોકે કોઈને એવું લાગતું હોય કે આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જ જોઈએ તો મને કોઈ વાંધો નથી.
સુશાંત સિંહ રાજપૂત કેસમાં શરદ પવારનું નિવેદન
મીડિયા જે રીતે મહત્વ આપી રહ્યું છે તે આશ્ચર્યજનક : પવાર
સતારામાં ખેડૂતોના આપઘાતની ચર્ચા જ નથી : પવાર
CBIનો વિરોધ નથી પણ મુંબઈ પોલીસ પર પૂરો ભરોસો : પવાર
નોંધનીય છે કે એનસીપીના દિગ્ગજ નેતા અજીત પવારના પુત્ર પાર્થ પવારે સીબીઆઈ તપાસની માંગ કરી હતી ત્યારે પોતાના જ પરિવારના નેતા વિશે શરદ પવારે કહ્યું કે પાર્થ તો બાળક છે, અનુભવ જ નથી.
શરદ પવારે કહ્યું કે જે રીતે આ કેસને મીડિયા મહત્વ આપી રહી છે તે આશ્ચર્યજનક છે. તપાસ સીબીઆઈ કરે કે કોઈ બીજું કરે પરંતુ મને મુંબઈ પોલીસ પર ભરોસો છે. આ કેસમાં ઠાકરે પરિવારનું નામ વચ્ચે લાવતા હોવાનાં સવાલ પર તેમણે કહ્યું કે અમને નથી ખબર કે તેની પાછળનો શું ઉદ્દેશ છે.
પવારે કહ્યું કે મહારાષ્ટ્ર અને મુંબઈ પોલીસ છેલ્લા પચાસ વર્ષોથી વિશ્વાસ છે. તપાસ ગમે તેનાથી કરાવો, તે રાજ્ય સરકાર અને સીબીઆઈનો વિષય છે. તેમણે કહ્યું કે એક વ્યક્તિની આત્મહત્યા પર આટલું બધું થઇ રહ્યું છે, પરમ દિવસે સતારામાં એક ખેડૂતે કહ્યું કે અમારા જિલ્લામાં 20 ખેડૂતોએ આપઘાત કરી લીધો પણ તેની કોઈ વાત જ નથી થઈ રહી.
નોંધનીય છે કે એક્ટર સુશાનત સિંહ રાજપૂતની મોતનો કેસ બિહાર VS મહારાષ્ટ્રમાં પરિણમી રહ્યો છે. પવારની પહેલા સંજય રાઉત આ મુદ્દા પર ઘણીવાર બોલી ચુક્યા છે. તેમણે સામનામાં પણ સુશાંત સિંહના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યાહતા કે તેમના પિતાએ બીજા લગન કરી લીધાહતા.અને તેના કારણે સુશાંત અને પરિવારનાં સંબંધ સારા ન હતા. જોકે પછીથી સુશાંતના પરિવાર દ્વારા આ આરોપોનો જૂઠ્ઠાણું ગણાવ્યું હતું.