કોંગ્રેસની સાથે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવી રહેલી એનસીપીના નેતા શરદ પવારે ત્રીજો મોરચો બનવવાને લઈને મોટું નિવેદન આપ્યું છે.
કોંગ્રેસ છોડીને ત્રીજો મોરચો બનાવવાની કવાયત
શરદ પવારે આપ્યું મોટું નિવેદન
કોંગ્રેસનું વધી શકે છે ટેન્શન
શરદ પવારે આપ્યા સંકેત
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે કોંગ્રેસ પાર્ટીને હાંસિયામાં રાખીને ત્રીજો ફ્રન્ટ બનાવવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે અલ્ટરનેટિવ પ્રોગ્રેસીવ મંચ ઊભું થાય તેના માટે વિચાર કરવાની જરૂર છે. પવારે કહ્યું કે સીતારામ યેચુરીએ કહ્યું કે તેના પર વિચાર કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ મુદ્દે કોઈ સાથી પ્રસ્તાવ મૂકશે તો તેના પર ધ્યાન આપવામાં આવશે.
તો ત્રીજો મોરચો બનાવશે પવાર!
તેમણે કહ્યું કે કેટલાક રાજ્યો જેવા કે પશ્ચિમ બંગાળમાં આજે કેન્દ્રીય નેતૃત્વ દ્વારા રાજ્ય પર થઈ રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને કોઈ પણ લોકતાંત્રિક પાર્ટીએ મમતા બેનર્જીનું સમર્થન કરવું જોઈએ. નોંધનીય છે કે શરદ પવાર મંગળવારે કોંગ્રેસમાંથી છૂટા પડેલા પીસી ચાકો પોતાની પાર્ટીમાં સામેલ કર્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. શરદ પરવાર અનુસાર સીતારામ યેચુરીએ પણ કહ્યું છે કે ચાકો સાહેબનું અમે સ્વાગત કરીએ છે.
પીસી ચાકો એનએસપીમાં સામેલ
શરદ પવારે કહ્યું કે યેચુરીએ ફોન પર કહ્યું કે અન્ય એક મંચની જરૂર છે. આ વિષય પર વિચાર કરવો જોઈએ. કેટલાય નેતાઓએ અલ્ટરનેટિવ ફ્રન્ટ બનાવવાની વાત પર જોર આપ્યું છે. અને તેના પર હવે ગંભીરતાથી વિચાર થઈ રહ્યો છે. શરદ પવારે કહ્યું કે પીસી ચાકો એનસીપીમાં આવ્યા બાદ કેરળ પાર્ટી યુનિટ ખૂબ ખુશ છે. પ્રફુલ્લ પટેલે પણ પીસી ચાકોને શુભકામનાઓ પાઠવી હતી.
કોંગ્રેસનું ટેન્શન વધી શકે
નોંધનીય છે કે કેરળમાં ચૂંટણી થવા જઈ રહી છે અને આ પહેલા પીસી ચાકોના જવાથી કોંગ્રેસને ફટકો પડ્યો છે. બીજી તરફ હવે શરદ પવાર જે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સાથે મળીને જ સરકાર ચલાવી રહ્યા છે, તેમના દ્વારા આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસનું ટેન્શન વધી શકે છે.