'The Kashmir Files'ને લઇને શરદ પવારે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, 'તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે સત્તામાં રહેલા લોકોએ આ ફિલ્મનો પ્રચાર કર્યો.'
શરદ પવારે કેન્દ્ર પર કર્યા આકરા પ્રહાર
'The Kashmir Files'ને લઇને આપ્યું ચોંકાવનારું નિવેદન
ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે સત્તામાં રહેલા લોકોએ આ ફિલ્મનો પ્રચાર કર્યો
કશ્મીરી પંડિતોના હિજરત પર આધારિત ફિલ્મ 'the kashmir files' સતત સમાચારોમાં આવતું રહે છે. ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીમાં ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મને ખૂબ મોટી સંખ્યામાં લોકો પ્રેમ આપી રહ્યાં છે. તેમ છતાં એક મોટો વર્ગ એવો પણ છે કે, જે આ ફિલ્મની સતત ટીકા કરી રહ્યો છે. દરમ્યાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે એક સપ્તાહમાં બીજી વખત ફિલ્મની ટીકા કરી છે. તેઓએ કહ્યું કે, તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કે સત્તામાં રહેલા લોકોએ આ ફિલ્મનો પ્રચાર કર્યો. અગાઉ તેઓએ કહ્યું હતું કે, આવી ફિલ્મને સ્ક્રીનિંગ માટે મંજૂરી ન હોતી આપવી જોઈતી.
ફિલ્મની ટીકા કરતા શરદ પવારે રવિવારે કહ્યું કે, "એક વ્યક્તિએ હિંદુઓ પર થતા અત્યાચારોને દર્શાવતી ફિલ્મ (ધ કાશ્મીર ફાઇલ્સ) બનાવી છે. તે દર્શાવે છે કે, બહુમતી હંમેશા લઘુમતી પર હુમલો કરે છે અને જ્યારે તે બહુમતી મુસ્લિમ હોય છે, ત્યારે હિન્દુ સમુદાય સંવેદનશીલ બને છે. જો કે, આ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે, સત્તામાં રહેલાં લોકોએ આ ફિલ્મનો પ્રચાર કર્યો.'
Maharasthra | A man made a movie (The Kashmir Files) showing atrocities on Hindus. It depicted that majority always attacks minority &when that majority is Muslim, the Hindu community gets insecure. It's unfortunate that people in power promoted this movie:Sharad Pawar, NCP(10.4) pic.twitter.com/hTKxPp6JvS
આ અગાઉ ગત સપ્તાહની શરૂઆતમાં પણ શરદ પવારે આ ફિલ્મની ટીકા કરી હતી. પોતાની પાર્ટીના દિલ્હી એકમના લઘુમતી વિભાગના સંમેલનને સંબોધતા તેમણે કહ્યું હતું કે, "આવી ફિલ્મને સ્ક્રીનિંગ માટે મંજૂરી ન હોતી આપવી જોઈતી. પરંતુ તેને ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે અને દેશને એક રાખવા માટે જવાબદાર લોકો જનતાને ફિલ્મ જોવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.'
'મુસલમાનોને પણ ટાર્ગેટ કરાયા'
પવારે એમ પણ કહ્યું કે, 'એ વાત સાચી છે કે કશ્મીરી પંડિતોએ ઘાટી છોડવી પડી હતી, પરંતુ મુસ્લિમોને પણ એ જ રીતે ટાર્ગેટ કરાયા હતાં. તેઓએ કહ્યું કે, કશ્મીરી પંડિતો અને મુસ્લિમો પર હુમલા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો જવાબદાર હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ એમ પણ કહ્યું કે, જો નરેન્દ્ર મોદી સરકાર ખરેખર કશ્મીરી પંડિતોની ચિંતા કરે છે, તો તેઓએ તેમના પુનર્વાસ માટે તમામ પ્રયાસો કરવા જોઈએ અને લઘુમતી પ્રત્યે તેમના મતમાં ગુસ્સો ભડકાવવાનું કામ ના કરવું જોઈએ.'