NCP નેતા શરદ પવારે મંગળવારે વિપક્ષી નેતાઓની એક અગત્યની મિટિંગ બોલાવી છે, આ મિટિંગ તેમના દિલ્હી સ્થિત ઘર જનપથ પર થોડી વારમાં શરૂ થવાની છે.
આ મિટિંગ 2024માં થનારા લોકસભાની ચૂંટણીને લઈને પણ હોઈ શકે
આટલા બધા નેતાઓ થઈ રહ્યા છે સામેલ
પીએમ મોદી અને ભાજપની સામે એકજૂટ થવાની રણનીતિ નક્કી કરવામાં આવશે
આ મિટિંગ 2024માં થનારા લોકસભાની ચૂંટણીને લઈને પણ હોઈ શકે
NCP નેતા શરદ પવારે મંગળવારે વિપક્ષી નેતાઓની એક અગત્યની મિટિંગ બોલાવી છે, આ મિટિંગ તેમના દિલ્હી સ્થિત ઘર જનપથ પર થોડી વારમાં શરૂ થવાની છે. આ બેઠકની એજન્ડા હાલમાં રાજનૈતિક રીતે થઈ રહેલ ફેરફાર લઈને હોય શકે છે. આવામાં એ વાતની પણ ચર્ચા થઈ રહી છે કે આ મિટિંગ 2024માં થનારા લોકસભાની ચૂંટણીને લઈને પણ હોઈ શકે છે.
આટલા બધા નેતાઓ થઈ રહ્યા છે સામેલ
નેશનલ કૉંફરેન્સ તરફથી ઉમર અબ્દુલ્લા શરદ પવારના ઘરે પહોંચ્યા છે. કોંગ્રેસના પૂર્વ પ્રવક્તા સંજય ઝા, NCP ના રાજ્યસભાના સાંસદ માજિદ મેમન, CPI નેતા બિનય વિશ્વમ, TMC નેતા યશવંત સિન્હા, રાજ્ય સભાના સાંસદ વંદન ચૌહાણ પહોંચી ગયા છે. આ ઉપરાંત, પૂર્વ રાજદૂત કેસી સિંહ, સમાજવાદી પાર્ટીના નેતા ઘનશ્યામ તિવારી, પૂર્વ સાંસદ જયંત ચૌધરી, અને AAP તરફથી સુશીલ ગુપ્તા, શરદ પવારના ઘરે પહોંચ્યા છે.
પીએમ મોદી અને ભાજપની સામે એકજૂટ થવાની રણનીતિ નક્કી કરવામાં આવશે
શરદ પવારે બોલાવેલી બેઠકમાં દેશની હાલની સ્થિતિની ચર્ચા કરાશે. શરદ પવારે 2024 માં થનારી લોકસભાની ચૂંટણીની તૈયારી શરુ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પીએમ મોદી અને ભાજપની સામે એકજૂટ થવાની રણનીતિ નક્કી કરવા પવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે. બેઠકમાં કોંગ્રેસને આમંત્રણ અપાયું નથી. ટીએમસી નેતા યશવંત સિંહાની આગેવાનીમાં રાષ્ટ્રમંચના પ્રતિનિધિઓની સાથે ગેર કોંગ્રેસ પાર્ટીઓના નેતા તેમના નિવાસ સ્થાને હાજર રહ્યા છે.