રાફેલ વિમાનને લઇને રાજકીય નિવેદનબાજી થમવાનું નામ નથી લઇ રહી. દશેરા પર રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા કરવામાં આવેલા શસ્ત્ર પૂજા બાદથી સતત તેના પર નિવેદન આવી રહ્યા છે. તેને લઇને ભાજપ અને કોંગ્રેસ આમને-સામે છે. બંને પાર્ટીઓ સતત એક બીજા પર તેને લઇને નિશાન સાધી રહી છે. હવે આ લડાઇમાં એનસીપી પ્રમુખ શરદ પવાર કૂદી પડ્યા છે.
રાફેલ વિમાનને લઇને રાજકીય ઘમાસાણ
દશેરા પર રાજનાથ સિંહ દ્વારા શસ્ત્ર પૂજા પર રાજકીય નિવેદનબાજી
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર શરદ પવારે કહ્યું, 'મને રાષ્ટ્રીય સુરક્ષા માટે લેવામાં આવેલા નિર્ણય પર કોઇ શંકા નથી. મને નથી ખબર કે તેમા કેટલું સત્ય છે, પરંતુ મેં વાંચ્યું છે કે નવા ખરીદેલા ટ્રકની જેમ ખરાબ નજરથી બચાવવા માટે નીબૂં-મરચાને રાફેલ વિમાનમાં લટકાવામાં આવ્યા. તેના વિશે કોઇ શું કહેશે.
Sharad Pawar, NCP: I have no doubts on the decision taken for national security. But I have read, I don't know if it is true, but what can one say when lemon-chilli is hung on Rafale aircraft with the idea of protecting it from curse just like it's hung on a newly-purchased truck pic.twitter.com/z3U04i2Qhm
નોંધનીય છે કે, કોંગ્રેસ પાર્ટીએ રાજનાથ સિંહ દ્વારા દશેરાના દિવસે રાફેલને રિસીવ કરતી વખતે શસ્ત્ર પૂજા કરી, જેને કોંગ્રેસે ડ્રામા બતાવ્યો. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંદીપ દીક્ષિતે તેને લઇને ભાજપા અને રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું. તેમણે આ પૂજાને તમાશો બતાવ્યો.
ત્યારે ભાજપે કોંગ્રેસ નેતાઓ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર પલટવાર કર્યો. ભાજપા નેતાઓએ બફોર્સને લઇને કોંગ્રેસ પર નિશાન સાધ્યું. પહેલા ગૃહ મંત્રી અમિત શાહે તેને લઇને કોંગ્રેસ પર નિશાન સાધતા હરિયાણામાં એક રેલી દરમિયાન કહ્યું કે કોંગ્રેસે સમજવુ જોઇએ કે કઇ વાતનો વિરોધ કરવાનો છે, અને કયાનો નહીં. તેમને રાફેલનું સેનામાં સામેલ થવું ખટકી રહ્યું છે.