મહારાષ્ટ્ર સહકારી બેન્ક કૌભાંડના આરોપો પર એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે અમે શિવાજીના અનુયાયી છીએ અને દિલ્હી આગળ ઝુકીશું નહીં. એટલું જ નહીં શરદ પવારે તપાસથી બચવાના આરોપો પર જવાબ આપતા કહ્યું કે તે ખુદ ઇડી કાર્યાલય જશે.
શરદ પવારે કહ્યું કે 27 સપ્ટેમ્બરે ખુદ ઇડીના કાર્યાલય જશે
કૌભાંડમાં મુંબઇ પોલીસ તરફથી પણ એક એફઆઇઆર નોંધવામાં આવી
શરદ પવાર સહિત 70 અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડ્રિંગ મામલામાં કેસ નોંધાયો
શરદ પવારે કહ્યું કે 27 સપ્ટેમ્બરે ખુદ ઇડીના કાર્યાલય જશે અને તપાસ માટે હાજર રહેશે. ઇડીએ શરદ પવાર સહિત 70 અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડ્રિંગ સહિત અન્ય મામલામાં કેસ નોંધ્યો છે. લગભગ 25 હજાર કરોડના આ કૌભાંડમાં મુંબઇ પોલીસ તરફથી પણ એક એફઆઇઆર નોંધવામાં આવી હતી.
તપાસમાં પૂર્ણ સહયોગ કરીશ
શરદ પવારે કહ્યું કે એમણે મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે કેન્દ્ર સરકારની ઇડીએ તેમની વિરુદ્ધ મામલો નોંધ્યો છે. એમણે કહ્યું, ' મને એ કહેવામાં કોઇ ચિંતા નથી કે હું કોઇપણ કો ઓપરેટિવ અથવા બેન્કનો સંસ્થાગત સભ્ય રહ્યો નથી. બેન્ક વિશે જે તપાસ શરૂ થઇ છે. તે તપાસ કરનારી એજન્સીનો અધિકાર છે. એમને જે પૂરાવા આપવાની આવશ્યક્તા છે, તેમા તપાસ કરનારી એજન્સીને હું પૂર્ણ રીતે સહયોગ આપીશ.'
'ખુલ્લા દિલથી કરીશ સામનો'
શરદ પવારે કહ્યું કે, આવતા મહીને ચૂંટણી છે. એવામાં મોટાભાગે તે જિલ્લામાં રહેશે, પરંતુ તપાસ માટે હાજર રહેશે. પવારે કહ્યું, 'એવી સ્થિતિમાં તપાસ કરનારી એજન્સી એમ ન સમજે કે હું હાજર રહીશ નહીં. હું 27 સપ્ટેમ્બરે બપોરે 2 વાગ્યાએ ઇડીના કાર્યાલયમાં જઇશ. જે તપાસ કરવાની છે તેના માટે હાજર રહીશ.' શરદ પવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, જે દિલ્હીની હકૂમત છે, તેના અધિકારનો ઉપયોગ કરવાની વાત કોઇના મનમાં હોય તો તેમની ચિંતા નથી. એમણે કહ્યું, 'તેનો સામનો ખુલ્લા દિલથી કરીશ'.
25 હજાર કરોડનું કૌભાંડ
બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક કૌભાંડ મામલામાં કોર્ટે રજૂ કરેલા તથ્યોના આધારે શરદ પવાર અને અન્ય આરોપીઓ પર એફઆઇઆર નોંધવાનો આદેશ કર્યો હતો. લગભગ 25 હજાર કરોડના આ કૌભાંડ મામલામાં મુંબઇ પોલીસે ગત મહીને જ એક એફઆઇઆર નોંધી હતી.