લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ અને પરિણામ આવ્યા પહેલા ભાજપ (BJP)અને વિપક્ષ બંને પાર્ટીઓને પોતાની તરફ કરવાની કોશિશમાં લાગ્યા છે. NDA પોતાના સાથી દળોના નેતાઓને મંગળવારે ડીનર પર બોલાવ્યા હતા. ત્યારે બીજી તરફ વિપક્ષના પ્રમુખ નેતા પણ એ તમામ નેતાઓ સાથે સંપર્ક કરી રહ્યા છે જે એનડીએમાં જોડાવાની વધારે સંભાવના છે.
જોકે એક્ઝિટ પોલના આંકડા મુજબ એનડીએને બહુમતી મળતી જોવા મળી રહી છે. વિપક્ષ તરફથી હવે ચંદ્રબાબૂ નાયડૂ ઉપરાતં એનસીપી પ્રમુખ શરદ પવાર પણ વિપક્ષી પાર્ટીઓને એક કરવામાં લાગ્યા છે. આપને જણાવીએ કે શરદ પવાર એ પાર્ટીઓને એકજુટ કરવાની કોશિશ કરી રહ્યા છે. જે ક્યારેક એકબીજાની વિરોધી રહી હતી.
સૂત્રોનું કહેવું છે કે શરદ પવારે વાઇએસઆર કોંગ્રેસ નેતા જગન મોહન રેડ્ડી, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ નેતા કે. ચંદ્રશેખર રાવ અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકનો સંપર્ક કર્યો છે. રિપોર્ટ મુજબ જો વિપક્ષી દળોને સરકાર બનાવવાની તક મળે છે તો એવામાં સમર્થન આપવા માટે પવારે કેસીઆર અને નવીન પટનાયકને કોલ કર્યો હતો. રિપોર્ટસ મુજબ નવીન પટનાયક અને કેસીઆરે સમર્થન આપવાનું વચન આપ્યું છે.
શરદ પવાર ચંદ્રબાબૂ નાયડૂના સંપર્કમાં પણ છે. શરદ પવાર ઉપરાંત ચંદ્રબાબૂ નાયડૂ પણ વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી એકજૂટ કરવામાં લાગ્યા છે. નાયડૂએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા પ્રમુખ માયાવતી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીની મુલાકાત કરી.
નાયડૂએ મંગળવારે કર્નાટકના સીએમ કુમાર સ્વામી અને જેડીએસ નેતા દેવગૌડા સાથે મુલાકાત કરી હતી. જોકે નાયડૂના મુખ્ય વિરોધી જગન રેડ્ડી સાથે પવારની વાતચીત થઇ શકી નથી. સૂત્રો બતાવી રહ્યા છે કે એનસીપી પ્રમુખ શરદ પવાર તેમનો સંપર્ક કરી શક્યા નથી જેનું કારણ તે યાત્રા પર છે.