મહારાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી સરકાર ગઠનને લઇને ચાલી રહેલા સસ્પેન્સનો અંત થઇ રહ્યો હોય તેવુ દેખાય રહ્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે કહ્યું છે કે સરકાર ગઠનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, જે પણ સરકાર બનશે તે પાંચ વર્ષ ચાલશે. આ વચ્ચે શિવસેના, NCP અને કોંગ્રેસના નેતાઓએ આવતી કાલે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાતનો સમય માગ્યો છે. જો કે ત્રણેય પાર્ટીઓના નેતાઓએ ખેડૂતોના મુદ્દા પર સમય માગ્યો છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાની આગેવાનીમાં સરકાર બનવાનું લગભગ નક્કી
કોંગ્રેસ અને NCP શિવસેનાએ શિવસેનાની સ્વીકારી માગ
NCP અને કોંગ્રેસના 12-12 નેતાઓ બની શકે છે મંત્રી
સરકાર રચવાને લઇને શરદ પવારે કહી આ વાત
શરદ પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં CM શિવસેનાના હશે. રાજ્ય સરકાર માટે ધર્મ નિરપેક્ષતા જરૂરી છે. મીનીમમ પ્રોગ્રામ હેઠળ સરકાર ચાલશે. ત્રણેય પક્ષના આવતીકાલે સરકાર રચવાનો દાવો રજૂ કરીશુ.
સરકાર બનવાને લઇને ડ્રાફ્ટ તૈયાર
સૂત્રોને મળતી જાણકારી મુજબ સરકાર બનાવાને લઇને મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને NCP વચ્ચે સતત વાતચીતનો દોર જોવા મળી રહ્યો છે. ત્રણેય પક્ષ વચ્ચે કોમન મિનિમમ પ્રોગ્રામ (CMP)ને લઇને સમજૂતિ બની ગિ છે. આ સમજૂતિ હેઠળ શિવસેનાને 5 વર્ષ સુધી મુખ્યમંત્રી પદ મળશે, જ્યારે રાષ્ટ્રવાદ કોંગ્રેસ પાર્ટી (NCP)ના 14 અને કોંગ્રેસના 12 મંત્રીઓ પદભાર સંભાળશે. જ્યારે શિવસેનાના ખાતામાં મુખ્યમંત્રી સહિત 14 મંત્રીનો પદભાર મળ્યો છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી શિવસેનાનો જ હશે
આ અગાઉ કોંગ્રેસ-શિવસેના-NCP વચ્ચે મહારાષ્ટ્રમાં સરકાર બનવવાને લઇને કોમન ડ્રાફ્ટ તૈયાર થયો હોય તેવી જાણકારી સામે આવી હતી. ત્યારે રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો શિવસેનાના નેતૃત્વમાં જ બનશે. ત્યાર બાદ તેમણે 5 વર્ષ સુધી શિવસેનાના સીએમને લઇને રાઉતે જણાવ્યુ કે, આગામી 25 વર્ષ સુધી શિવસેનાનો સીએમ રહેશે. અમારી સરકાર આવવા અને જવા વાળી સરકારમાંથી નથી. શિવસેના વર્ષોથી મહારાષ્ટ્રમાં કામ કરે છે. શિવસેના પહેલાથી જ ખેડૂતોની સાથે મળીને કામ કરે છે.
આ બે મુદ્દાઓ પર સરકાર ગઠનની વાત અટકી
મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનની સરકારને લઇને લગભગ સમજૂતિ થઇ ગઇ હોવાનું સૂત્રોને જાણવા મળ્યું છે. જો કે તેમ છતાં મુખ્ય આ બે મુદ્દાઓ પર ડખો થયો હોવાની અટકળો સામે આવી રહી છે.
કોંગ્રેસ હાઇ કમાન્ડ પ્રદેશ કોંગ્રેસ નેતાઓથી નારાજ
શિવેસના, એનસીપી અને કોંગ્રેસની સંભવિત ગઠબંધનને લઇને ચર્ચાઓ જોર પકડી રહી છે ત્યારે સૂત્રોને મળતી જાણકારી મુજબ ગઠબંધન ફોર્મ્યુલા તૈયાર થઇ ગઇ છે. આ વચ્ચે કોંગ્રેસ હાઇકમાન્ડ પ્રદેશ નેતાઓના નિવેદનથી નારાજ હોવાનું સામે આવ્યું છે. હાઇકમાન્ડનું માનવુ છે કે NCP અને શિવસેના સાથે કોમન ડ્રાફ્ટ પર સમજૂતિ બન્યા પહેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓના નિવેદનોથી નુકસાન થઇ રહ્યું છે.