હાલમાં જ બ્રિટનના PM બોરિસ જોનસન ગુજરાત આવીને ગયા છે ત્યારે શરદ પવાર અને શિવસેના આ મુદ્દે મોદી સરકાર પર કટાક્ષ કરી રહ્યા છે.
NCP ચીફ શરદ પવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું
વિદેશી મહેમાનોને ગુજરાત લાવવા પર ટોણો માર્યો
દિલ્હી રમખાણોને લઈને અમિત શાહને જવાબદાર ઠેરવ્યા
NCP પાર્ટીના સુપ્રીમો શરદ પવારે મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રેલીને સંબોધન દરમિયાન ગુજરાતમાં વિદશી મહેમાનોને બોલાવવા સામે વાંધો ઊભો કર્યો છે. તેમણે કહ્યું કે પહેલા જે મહેમાનો આવતા હતા તે દિલ્હીનો પ્રવાસ કરતાં હતા, હૈદરાબાદ જતાં હતા અને કોલકાતા પણ હતા પણ હવે તો માત્ર ગુજરાત જ જાય છે.
હવે તો બધા ગેસ્ટ ગુજરાત જ જાય છે: પવાર
પવારે કહ્યું કે મેં ઈન્દિરા ગાંધીથી લઈને નરસિંહા રાવ અને મનમોહન સિંહ બધાનો કાર્યકાળ જોયો છે. બીજા દેશના નેતાઓ ભારત આવતા તો દિલ્હી જતાં, દિલ્હી નહીં તો હૈદરબાદ અથવા કોલકાતા પણ હવે તો આખી સ્થિતિ જ બદલાઈ ગઈ છે. હવે જ્યારે પણ કોઈ વિદેશી નેતા ભારત આવે છે ગુજરાત જ જાય છે. સત્તા આવે છે અને જાય છે પણ આ સત્તા મગજમાં ન આવી જવી જોઈએ.
શિવસેનાએ પણ આ મુદ્દે કટાક્ષ કર્યા હતા
નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં ગુજરાતને લઈને બે મોટી પાર્ટીઓ હાલમાં ખૂબ નિવેદનો કરી રહી છે. એક દિવસ પહેલા જ શિવસેનાના મુખપત્ર સામનામાં પણ કહેવામાં આવ્યું કે ગુજરાતમાં જે વિદેશી મહેમાનો આવે છે તેમને ગાંધી આશ્રમમાં લઈ જવામાં આવે છે, સરદાર પટેલનું આટલું મોટું સ્ટેચ્યૂ છે પણ ત્યાં કોઈ જતું નથી. તેથી એવું સાબિત થાય છે કે આજે પણ ભારતની ઓળખ ગાંધી જ છે.
I saw the tenure of Indira, Rajiv, Narasimha Rao, Manmohan. When leaders from other countries visited India (then), they would go to Delhi, Hyderabad, Kolkata. But the situation has changed now. Though they (leaders) come to India but visit Gujarat: NCP chief Sharad Pawar (23.04) pic.twitter.com/p0JPfjjFaw
દિલ્હી રમખાણોનો ઉલ્લેખ
આ સિવાય શરદ પવારે કહ્યું કે દિલ્હીમાં કોમી રમખાણો થયા અને રાજ્યના મુખ્યમંત્રી નિયંત્રિત કરવાના પ્રયાસ કરી રહ્યા હતા પણ પોલીસ તો ગૃહમંત્રાલય પાસે છે. અમિત શાહ દિલ્હીને કોમી રમખાણોથી બચાવવામાં અસફળ રહ્યા છે. તમે સત્તામાં છો પણ દિલ્હી સંભાળી શકતા નથી, દિલ્હીમાં કઈ થાય તો આખા વિશ્વમાં સંદેશ જાય છે અને વિશ્વ કલ્પના કરશે કે દિલ્હી અશાંત છે.