દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આપના હાથે ભાજપના કારમા પરાજય બાદ ફરી વિપક્ષ એકજૂટ થવાની તૈયારીમાં લાગી ગયો છે. જેને લઇને NCP નેતા શરદ પવારે કહ્યું કે દિલ્હી પરિણામને લઇને દેશમાં ફરી 'બદલાવનો મૂડ' જોવા મળી રહ્યો છે.
પવારે કહ્યું દેશમાં બદલાવની હવા ચાલી રહી છે
પવારે કહ્યું વિપક્ષી એકજૂટતાની વાત જણાવી
દિલ્હી ચૂંટણીમાં AAPને પ્રચંડ બહુમતિ મળી છે
શરદપવારે જણાવ્યું ભાજપને રોકવા તેમજ સત્તાથી બહાર રાખવા માટે રાજ્યોના ક્ષેત્રીય પાર્ટીએ એકજૂટ થવાની જરૂરિયાત છે. ચૂંટણી પંચની વેબસાઇટ મુજબ સત્તારૂઢ આમ આદમી પાર્ટીને 70 વિધાનસભા સીટમાંથી 62માં જીત મળી છે જ્યારે ભાજપ માત્ર 8 બેઠક પર જીત મેળવી શક્યું છે, જો કે કોંગ્રેસનું ખાતુ પણ ખુલ્યું નથી.
NCP અધ્યક્ષે જણાવ્યું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામે સંકેત આપ્યો છે કે દેશમાં હવે 'મોદી લહેર' નહીં પરંતુ 'બદલાવની હવા' ચાલી રહી છે. પવારે કહ્યું કે દિલ્હીનું પરિણામ માત્ર દિલ્હી સુધી સીમિત નથી કારણ કે રાષ્ટ્રીય રાજધાનીમાં વિવિધ રાજ્યના લોકો રહે છે.
શરદ પવારે કહ્યું કે તેઓ પોતાના રાજ્યમાં પણ બદલાવનો માહોલ ઇચ્છે છે જેમણે દિલ્હીમાં મતદાન દ્વારા સંકેત આપ્યાં છે. દિલ્હી ચૂંટણીનું પરિણામ ક્ષેત્રીય દળ અથવા વિકલ્પ (ભાજપા વિરુદ્ધ) પોત પોતાના રાજ્યમાં મજબૂત થવાના સંકેત છે.
પવારે જણાવ્યું કે ક્ષેત્રીય પાર્ટીઓએ એકજૂટ થવા અંગે બેઠક કરવી જોઇએ અને ભાજપને સત્તામાંથી બહાર રાખવા માટે એક સ્થિર સરકાર આપવા માટે જોર આપ્યું છે. શરદ પવારે કહ્યું કે કેરળમાં વામ પાર્ટી છે, મહારાષ્ટ્રમાં અમે મહાઅઘાડી ગઠબંધન કર્યું. એનો મતલબ એ છે કે સામાન્ય ન્યૂયત્તમ કાર્યક્રમ પર એક સાથે આવવાની આવશ્યકતા છે અને મને ખાતરી છે કે લોકો તેને સમર્થન કરશે.
શરદ પવારે કહ્યું કે વિપક્ષી દળો વચ્ચે એ પણ ભાવના છે કે ભાજપ દેશ માટે 'હોનારત' જેવું છે જેની સામે એકજૂટ થઇ રહેવાની જરૂર છે.