મોદી સરકાર પર હુમલો કરતા NCP સુપ્રીમો શરદ પવારે કહ્યું કે કેન્દ્ર સરકાર સીબીઆઈ-એનસીબી અને ઇ.ડી.નો દુરુપયોગ કરી રહી છે.
NCP સુપ્રીમો શરદ પવારનું મોટું નિવેદન
કહ્યું સરકાર CBI, NCB અને EDનો દુરુપયોગ કરી રહી છે
ગેર-ભાજપા શાસિત રાજ્યોમાં સરકારને અસ્થિર કરવામાં આવી રહી છે
શરદ પવારે એવો આક્ષેપ કર્યો કે કેન્દ્રની મોદી સરકાર માત્ર એવા રાજ્યોમાં જ સીબીઆઈ અને ઈડીનો ઉપયોગ કરી રહી છે જ્યાં તેમની સરકાર નથી. પવારના જણાવ્યા અનુસાર કેન્દ્ર બિન-ભાજપ શાસિત રાજ્યોને અસ્થિર કરવાનું કામ કરી રહ્યું છે. તપાસ એજન્સીઓ ફક્ત ડરાવી રહી છે.
મહાવિકાસ અઘાડી સરકાર પાંચ વર્ષ પૂર્ણ કરશે
મહારાષ્ટ્રની અઘાડી સરકાર પર મોટું નિવેદન આપતા પવારે એવું કહ્યું કે મહા વિકાસ અઘાડીની સરકાર તેના પાંચ વર્ષ પૂર્ણ કરશે. તેમણે તો એમ પણ કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રમાં ફરી સરકાર રચવા જઈ રહ્યા છે.
પાર્ટીના સિનિયર નેતા નવાબ મલિકનો કર્યો બચાવ
શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમના મંત્રી નવાબ મલિકનો પણ બચાવ કર્યો છે. હાલ તો આ જ રીતે તેના જમાઈની પૂછપરછ કરી રહી છે. પવારે સ્પષ્ટ કર્યું છે કે, નવાબ માલિકો કેન્દ્રની નીતિઓ વિરુદ્ધ સતત બોલી રહ્યા હોવાથી તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમના સંબંધીઓ સામે કેસ કરવામાં આવી રહ્યા છે. પવારે એવો દાવો પણ કર્યો છે કે પોલીસે નવાબ માલિકના જમાઈ સામેના કેસમાં સાક્ષી સામે કેસ કરી દીધો છે.