રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઇને નિવદેન આપતા કહ્યુ કે, ''તેમણે પરિવારનો કોઇ અનુભવ નથી. તેઓ તેમ પણ નથી જાણતા કે વર્તમાનમાં તેમના પરિજન કોણ છે?'' મોદીએ 1 એપ્રિલે વર્ધામાં થયેલી રેલીમાં કહ્યું હતું કે પવાર, પક્ષમાં પોતાની પકડ ગુમાવી રહ્યાં છે. તેમને પરિવારમાં જોવા મળતા કલેશનો સામનો કરવો પડી રહ્યો છે.
મોદીએ તેમ પણ કહ્યુ હતુ કે, ''પવારનો ભત્રીજો અજીત પાર્ટી પર પોતાનું નિયંત્રણ વધારવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ કારણે જ ટિકિટ વ્હેંચણીમાં પણ નેશનલ કોન્ફરન્સને મુસીબતનો સામનો કરવો પડ્યો હતો."
શનિવારને જવાબી હુમલામાં પવારે કહ્યુ કે, ''પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વર્ધામાં થયેલી રેલીમાં કહ્યુ કે, પવાર પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે. અજીતે પૂરું નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું છે. પવાર પરિવાર હવે વધુ સમય સુધી સાથે નહીં રહે. આ મુદ્દે હું કહેવા માગુ છું કે અમે ભાઈઓ એવા વાતાવરણમાં ઉછર્યા છીએ જ્યાં અમારી માતાએ અમને સદાચાર જ શીખવાડ્યો છે."
પવારે કહ્યું, "એક વ્યક્તિ જેને પરિવારનો કોઈ જ અનુભવ નથી, જેને પોતાને નથી ખબર કે તેમનો પરિવાર ક્યાં છે તે બીજા પર આંગળી ચીંધે છે. અત્યાર સુધી લોકો પોતાની હારને છુપાવીને ગાંધી પરિવારને નિશાન બનાવી રહ્યાં હતા. હવે મારો પરિવાર પણ આ યાદીમાં સામેલ થઈ ગયો છે."