રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે દરેક વિપક્ષી પાર્ટીઓ તેમની સાથે છે અને બેંક કૌભાંડ સાથે તેમને કોઈ સંબંધ નથી. તેઓએ કહ્યું તે હું નથી ઈચ્છતો કે કાયદાકીય વ્યવસ્થા ખરાબ થાય. પોલીસ કમિશ્નરની અપીલ બાદ શરદ પવારે ED ઓફિસ ન જવાનો નિર્ણય લીધો છે.
મુંબઈમાં ED ઓફિસ આસપાસ કલમ 144 લાગૂ
સુરક્ષાને લઈને કરવામાં આવી હતી ખાસ વ્યવસ્થા
શિવસેના અને કોંગ્રેસે આપ્યું શરદ પવારને સમર્થન
EDએ કહી આ વાત
બેંક કૌભાંડ કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે આજે ઈડી ઓફિસ જવાનું નક્કી કર્યું હતું. ઈડીની તરફથી તેમને હાજર રહેવાની નોટિસ આપવામાં આવી ન હતી. શરદ પવારનું કહેવું છે કે તેઓ બેંક કૌભાંડની એફઆઈઆરની વિરુદ્ધમાં ઈડી ઓફિસ જશે અને પોતાનો પક્ષ રાખશે. તો ઈડીએ કહ્યું કે તેમને ઓફિસ આવવાની જરૂર નથી. ઈડીએ શરદ પવારને ઈમેલ મોકલ્યો છે જેમાં કહેવાયું ચે કે તેઓ આજે ઈડીની ઓફિસ ન આવે. પરંતુ પવાર ઈડી ઓફિસ જવા માટે તૈયાર રહ્યા હતા.
મુંબઈ પોલીસે કરી અપીલ
આ વચ્ચે મુંબઈ પોલીસ કમિશ્નર સંજય બાર્વેએ શરદ પવારના ઘરે જઈને મુલાકાત કરી અને તેમને ઈડી ઓફિસે ન જવાની અપીલ કરી. શરદ પવારે કહ્યું કે દરેક વિપક્ષી પાર્ટીઓ તેમની સાથે છે અને બેંક કૌભાંડની સાથે તેમને કોઈ લેવા દેવા નથી. તેઓએ કહ્યું કે હું નથી ઈચ્છતો કે કાયદાકીય વ્યવસ્થાને નુકશાન થાય માટે ઈડી ઓફિસ ન જવાનો નિર્ણય પવારે લીધો છે.
NCP leader Nawab Malik in Mumbai: Enforcement Directorate (ED) has sent an e-mail stating that Sharad Pawar is not required to visit the office today. When required, ED will intimate him. But, Sharad Pawar is firm to go to ED office. pic.twitter.com/w2MPVjq1C1
શરદ પવારની હાજરી પહેલાં જ સમર્થકો અને પાર્ટી કાર્યકર્તાઓએ ઈડી કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. સ્થિતિ વણસી શકે તેમ હોવાનું જણાતા શરદ પવારે પોતાના સમર્થકોને અપીલ કરી કે તેઓ ઈડી ઓફિસ સામે ન રહે. જો કે બલાર્ડ એસ્ટેટની આસપાસ કલમ 144 લાગૂ કરવામાં આવી છે.
પાર્ટીના નેતાઓ પહોંચ્યા શરદ પવારના ઘરે
શરદ પવારની અપીલની વિરુદ્ધ તેમના પૌત્ર રોહિત પવારે પાર્ટી કાર્યકર્તાઓને મુંબઈમાં એકસાથે રહેવાની અપીલ કરી છે. શરદ પવારની ઈડી ઓફિસની હાજરીને લઈને આ તૈયારીઓ કરવામાં આવી હતી. પરંતુ ઈડી ઓફિસ પાસે કલમ 144 લાગૂ કરવામાં આવી છે. પોલીસની ટીમ સ્નીફર ડોગની સાથે એનસીપી કાર્યાલયમાં પહોંચી છે. અન્ય તરફ પ્રફુલ્લ પટેલ સહિત અનેક પાર્ટીના નેતા શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા.
Mumbai: Sec144 CrPC has been imposed at Ballard Estate, where the office of Enforcement Directorate is situated;NCP Chief Sharad Pawar to visit ED office today to make himself available to the agency for their investigation in the money laundering case, in which he has been named pic.twitter.com/lixmftwYma
શિવસેના સાંસદ સંજય રાઉત અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શરદ પવારનું સમર્થન કર્યું છે. સંજય રાઉતે શરદ પવારને ભારતીય રાજનીતિના ભીષ્મ પિતામહ ગણાવ્યા તો રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર દ્વારા ટાર્ગેટ કરાતા શરદ પવાર વિપશ્રના નવા નેતા છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જે બેંક કૌભાંડને લઈને ઈડીએ એફઆઈઆરમાં પવારનું નામ નોંધ્યું છે તે બેંકમાં તેઓ કોઈ પદ પર રહ્યા જ નથી.
અમે સંવિધાનનો આદર કરીએ છીએઃ પવાર
શરદ પવારે કહ્યું કે અમે સંવિધાનનો આદર કરનારા વ્યક્તિઓ છીએ. પોલિસ અને સરકારી એજન્સીઓની સાથેની તપાસમાં સહયોગ આપો. એવું કોઈ કામ ન કરશો કે જેનાથી લોકોને તકલીફ થાય. તેઓએ કહ્યું છે કે હું મારા તમામ એનસીપી કૈડર અને સમર્થકોને ઈડી કાર્યાલય પરિસરની પાસે ભેગા ન થવાની અપીલ કરું છું. સંવિધાન અને સંસ્થાઓના સન્માન માટે અમારી પરંપરાને ધ્યાનમાં રાખીને હું પાર્ટી કાર્યકર્તાઓને પોલિસ અને અન્ય સરકારી એજન્સીઓના સહયોગનો અનુરોધ કરું છું. આ સાથે તેઓએ કાર્યકર્તાઓને કહ્યું કે ધ્યાન રાખજો કે કોઈને અસુવિધા ન થાય.
શું છે વિવાદ?
ઇડીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવાર, તેના ભત્રીજા પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહારાષ્ટ્ર સ્ટેટ કોર્પોરેશન બેંક સાથે સંકળાયેલા 70 લોકોનું FIRમાં નામ નોંધાયું છે. આ 25 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ છે. શરૂઆતમાં, મુંબઈ પોલીસે આ કેસમાં એફઆઈઆર નોંધી હતી.
બેંકને કરોડો રૂપિયાનું થયું છે નુકસાન
આ કૌભાંડમાં, 2007 થી 2011 ની વચ્ચે, આરોપીઓની મિલીભગતને કારણે બેંકને કરોડો રૂપિયાની ખોટ થઈ હોવાનો આરોપ છે. આરોપીઓમાં 34 જિલ્લાના વિવિધ બેંક અધિકારીઓ શામેલ છે. આ નુકસાન સુગર મિલો અને સ્પિનિંગ મિલોને ધિરાણ આપવા અને રીકવરીમાં કરવામાં આવેલ ગેરરીતિઓને કારણે થઈ હતી.