NCP પ્રમુખ શરદ પવારે મંગળવારે વિપક્ષી દળોની બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 4 વાગે યોજાશે. પવાર ના ઘરે યોજાનારી બેઠકને લઈને અટકળો કરવામાં આવી રહી છે કે તેઓએ અત્યારથી જ 2024માં થનારી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.
કોણ કોણ રહેશે બેઠકમાં સામેલ
પવારના ઘરે યોજાનારી બેઠકમાં પ્રમુખ રાજકીય દળના નેતાઓ અને સમાજના અનેક વર્ગના પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ભાગ લેવાનું કહેવાયું છે. આ બેઠકમાં યશવંત સિન્હા, પવન વર્મા, સંજય સિંહ, ડી. રાજા, ફારુક અબ્દુલ્લા, ન્યાયમૂર્તિ એ.પી, સિંહ, જાવેદ અખ્તર સામેલ થશે. આ સાથે કેટીએસ તુલસી, કરણ થાપર, આશુતોષ, અધિવક્તા મજીદ મેમન, સાંસદ વંદના ચૌહાણ, પૂર્વ સીઈસી એસ.વાઈ. કુરૈશી, કે.સી. સિંહ, સંજય ઝા, સુધીંદ્ર કુલકર્ણી અને કોલિજ ગોંજાલ્વિસ, અર્થશાસ્ત્રી અરુણ કુમાર, ઘનશ્યામ તિવારી, પ્રીતિશ નંદીને પણ આમંત્રણ અપાયું છે. રાષ્ટ્રીય લોક દળના નેતા જયંત ચૌધરી પણ આ બેઠકમાં સામેલ થશે.
We shall have a meeting of the Rashtra Manch tomorrow at 4 pm. Sri Sharad Pawar has kindly agreed to host the meeting at his place.
ટીએમસી નેતાએ કરી ટ્વિટ
યશવંત સિન્હાએ ટ્વિટ કરીને બેઠકની જાણકારી આપી છે. લખ્યું છે કે મંગળવારે સાંજે 4 લાગે રાષ્ટ્રમંચની બેઠક થશે. શરદ પવારની બેઠકના મહેમાન બનવા તેઓ સહમત થયા છે.
પ્રશાંત કિશોર નહીં લે બેઠકમાં ભાગ
શરદ પવારના ઘરે આજે યોજાનારી બેઠકને લઈને પ્રશાંત કિશોરે કહ્યું છે કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહી. તેઓએ કહ્યું કે મને નથી લાગતું કે કોઈ ત્રીજા કે ચોથા મોર્ચા ભાજપને સફળતા પૂર્વક ચેલેન્જ આપી શકે છે.
પવારના ઘરે થનારી બેઠકને લઈને અનેક પ્રકારની અટકળો રાજકારણમાં શરૂ થઈ છે. આ સાથે પીકેએ હાલમાં પ.બંગાળમાં ટીએમસીની જીતમાં મહત્વનો રોલ નિભાવ્યો હતો. તેના કારણે જ્યારે તેઓ પહેલી વાર પવારને મળ્યા તો માનવામાં આવી રહ્યું હતું કે એનસીપીમાં તેમને મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. જો કે પાર્ટી પ્રવક્તાએ આ વાતને નકારી હતી.