મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડથી એનસીપીના સુપ્રીમો શરદ પવાર ભાજપ પર બરાબરના ભડક્યા છે. શરદ પવારે જણાવ્યું છે કે અનિલ દેશમુખ સાથે અન્યાય થયો છે.
અનિલ દેશમુખની ધરપકડથી NCPના સુપ્રીમો નારાજ
ભાજપ દ્વારા બદલાની રાજનીતિ કરવામાં આવી રહી છે
કેન્દ્રની સત્તાનો દુરુપયોગને કેટલાક લોકોએ ધંધો બનાવી દીધો છે.
NCPના સુપ્રીમો શરદ પવાર ભાજપ પર ભડક્યા
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખની ધરપકડથી એનસીપીના સુપ્રીમો શરદ પવાર ભાજપ પર બરાબરના ભડક્યા છે. શરદ પવારે જણાવ્યું છે કે અનિલ દેશમુખ સાથે અન્યાય થયો છે. તેમણે સ્પષ્ટપણે ભાજપ સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે દેશમુખને જેલમાં ધકેલવાની કિંમત ભાજપે ચૂકવવી પડશે.
ભાજપ દ્વારા બદલાની રાજનીતિ કરવામાં આવી રહી છે
શરદ પવારે કેન્દ્ર સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે મારું કહેવું છે કે તમે ગમે એટલા દરોડા પાડો, ગમે એટલી ધરપકડ કરો, અમે સામાન્ય લોકોને સાથે રાખીને ભાજપને મહારાષ્ટ્રમાં ક્યારેય આવવા દઈશું નહીં. ભાજપે મહારાષ્ટ્રમાં ૧૦૦ ટકા હારનો સામનો કરવો પડશે. તમે અનિલ દેશમુખને જેલમાં ધકેલ્યા છે તો તેમના એકે એક દિવસ અને એકેએક કલાકની કિંમત અમે આજે નહીં તો કાલે જરૂર વસૂલીશું.શરદ પવારે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ દ્વારા બદલાની રાજનીતિ કરવામાં આવી રહી છે. હકીકતમાં સત્તાનો ઉપયોગ સન્માન સાથે કરવાનો હોય છે, પરંતુ આ લોકોના પગ જમીન પર નથી અને સત્તાનો નશો તેમને ચઢી ગયો છે અને જે કંઈ થઈ રહ્યું છે તે આ નશાનું જ પરિણામ છે.
કેન્દ્રની સત્તાનો દુરુપયોગને કેટલાક લોકોએ ધંધો બનાવી દીધો છે.
પવારે જણાવ્યું કે અનિલ દેશમુખના કેસની વાત કરું તો જે અધિકારી સામે આક્ષેપો થયા હતા તેમને ભાગેડુ જાહેર કરી દેવાયા છે. તે ક્યાં ગાયબ છે તેની કોઈને ખબર નથી. સમન્સ છે પણ હાજર થતા નથી, જ્યારે અનિલ દેશમુખ જેલની અંદર છે. તેનું મુખ્ય કારણ એ છે કે કેન્દ્રની સત્તાના દુરુપયોગને કેટલાક લોકોએ ધંધો બનાવી દીધો છે. તેમણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું નામ લીધા વગર નિશાન તાકતાં જણાવ્યું હતું કે સત્તા હાથમાંથી સરકી જતાં કેટલાક લોકો બેચેન છે અને દરરોજ કેન્દ્રને લિસ્ટ મોકલે છે અને એવી માગણી કરી છે કે તેમની તપાસ કરાવો.