રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અધ્યક્ષ શરદ પવારે જ્યાં 19 ઓક્ટોબરના રોજ સતારામાં મૂશળધાર વરસાદ દરમિયાન ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું જેમાં લોકસભા પેટાચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર માટે મત માગ્યા હતા. વરસાદ દરમિયાન ભીના થઇને પ્રચાર કરતો ફોટો તેમજ વીડિયો વાયરલ થયો હતો.
સતારા લોકસભા પેટાચૂંટણી અને વિધાનસભા ચૂંટણીમાં NCP આગળ
સતારામાં વરસાદ વચ્ચે પલળતાં શરદ પવારે કર્યું હતું ભાષણ
જો કે હવે લાગીરહ્યું છે કે 78 વર્ષના શરદ પવારની આ મહેનત રંગ લાવી રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે સતારામાં થઇ રહેલ પેટાચૂંટણીમાં NCP ઉમેદવાર મતગણતરીમાં આગળ ચાલી રહ્યાં છે. NCPએ લોકસભા પેટાચૂંટણી માટે શ્રીનિવાસ પાટિલ અને વિધાનસભા બેઠક માટે દીપક સાહેબરાવ પવારને ટીકીટ આપી છે.
સતારા લોકસભા બેઠક પરની ચૂંટણીના થોડા સમય પહેલા જ ઉદયનરાજે ભોસલે NCP છોડીને ભાજપમાં સામેલ થયા હતા. જો કે આ પક્ષાંતરણ ઉદયન રાજે માટે ઉલટુ સાબિત થઇ રહ્યું જોવા મળી રહ્યું છે. ઉદયન રાજે છત્રપતિ શિવાજીના વંશજ છે અને ભાજપને આશા હતી તેઓ ચૂંટણીમાં પક્ષ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થશે પરંતુ પરિણામનું વલણ જોતા એવુ જોવા મળતું નથી.
19 ઓક્ટોબરેના રોજ સતારામાં ચૂંટણી પ્રચાર દરમિયાન વરસાદ વચ્ચે શરદ પવારે કહ્યું હતું કે આ NCP માટે વરૂણ રાજાનો આશીર્વાદ છે. જેને લઇને રાજ્યમાં ચમત્કાર થશ અને આ ચમત્કાર 21 ઓક્ટોબરથી શરૂ થશે. મને તેનો વિશ્વાસ છે. સતારા બેઠક NCP માટે મહત્વપૂર્ણ છે, જ્યાં એકસાથે લોકસભા પેટાચૂંટણી તેમજ વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે. બંને બેઠક પર NCPને પોતાના પૂર્વ દિગ્ગજ નેતાઓનો જ પડકાર મળી રહ્યો છે.