ટાટા અને સાયરસ મિસ્ત્રી વચ્ચે ચાલી રહેલા વિવાદનો હવે અંત આવી શકે છે. સાયરસ મિસ્ત્રીની કંપની શાપૂરજી પલોનજીએ સર્વોચ્ચ અદાલતમાં સ્વીકાર્યું છે કે હવે ટાટાથી અલગ થઇ જવાનો સમય આવી ગયો છે. એવામાં જ્યારે તે છૂટા પડશે ત્યારે ટાટાએ મસમોટી રકમ આ ગ્રુપને આપવી પડશે.
શાપૂરજી પાલોનજી ગ્રુપ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સની સાથે છે
શાપૂરજી પલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી
ટાટા સન્સે આ ગ્રુપને 1,48,000 કરોડ રૂપિયા આપી દેવા પડશે
'હવે ટાટામાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો'
ટાટા સન્સ અને શાપૂરજી પલોનજી ગ્રુપ વચ્ચે ચાલી રહેલ વર્ષો જૂના વિવાદનો અંત આવી શકે છે. શાપૂરજી પલોનજી ગ્રુપ ટાટા સંસથી બહાર નીકળી રહી છે તેવી ચર્ચાઓ શરુ થઇ ગઈ છે. દેશના બે કૉર્પોરેટ સમૂહો વચ્ચે 70 વર્ષ જૂના સંબંધો ખતમ કરવા માટે શાપૂરજી પલોનજી ગ્રુપે મંગળવારે સર્વોચ્ચ અદાલતમાં કહ્યું કે હવે ટાટામાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. જો આ ગ્રુપ ટાટામાંથી બહાર નીકળે છે તો તેને મોટી રકમ મળશે. ટાટા સન્સે આ ગ્રુપને 1,48,000 ( એક લાખ અડતાળીસ હજાર ) કરોડ રૂપિયા આપી દેવા પડશે. વર્તમાનમાં ટાટાની જે મૂડી છે તેને જોતા આટલો હિસ્સો શાપૂરજી પલોનજી ગ્રુપનો બને છે.
ટાટા સન્સે આ ગ્રુપને 1,48,000 કરોડ રૂપિયા આપી દેવા પડશે
શાપૂરજી પલોનજી ગ્રુપ સાઈરસ મિસ્ત્રી પરિવારનું ગ્રુપ છે. શાપૂરજી પાલોનજી ગ્રુપે નિવેદન જાહેર કરીને કહ્યું કે ટાટા સન્સ સાથે સંબંધ 70 વર્ષ જૂનો છે. આ અરસપરના વિશ્વાસ અને મિત્રતા પર બન્યો હતો. મંગળવારે શાપૂરજી પાલોનજી ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે ટાટા ગ્રુપથી અલગ થવું જરુરી થઈ ગયુ છે કારણ કે કોર્ટ કેસથી આજીવીકા અને અર્થવ્યવસ્થાને અસર પડી શકે છે. ભારે હ્યદયે મિસ્ત્રી પરિવાર એવું માને છે કે તમામ સ્ટેક હોલ્ડર સમુહો માટે શાપૂરજી પાલોનજી ગ્રુપ અને ટાટા સન્સે અલગ થઈ જવું સારુ રહેશે.
ટાટા સન્સનો 18.37 ટકા હિસ્સો એસપી ગ્રુપ પાસે
શાપૂરજી પલોનજી ગ્રુપ(એસપી)ની પાસે ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી છે. ટાટા સન્સ મિસ્ત્રી ગ્રુપને પોતાના ટાટા સન્સના શેરથી ભંડોળ એકઠુ કરવાના પ્રયત્નને રોકવા માટે 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીના માધ્યમથી ટાટા ગ્રુપનો પ્રયત્ન એસપી ગ્રુપને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શેર ગિરવે મુકતા રોકવાનો છે.
આ ગ્રુપ અલગ થવા માંગે છે ત્યારે ટાટા ગ્રુપે જે ઈચ્છા દર્શાવી છે કે તે એસપી ગ્રુપનો હિસ્સો ખરીદી લે. ટાટા સંસના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન અનુસાર કોઈ પણ શેર હોલ્ડર જો પોતાની હિસ્સેદારી વેચવા માંગે છે તો પહેલા તેણે કંપનીને જ ઓફર કરવી પડશે. જે બાદ ટાટા કંપની તેની માર્કેટ વેલ્યુને લઈને નિર્ણય લેશે અને શેર હોલ્ડરને આપશે.
ક્યારે થઇ હતી શરૂઆત
નોંધનીય છે કે શાપૂરજી પલોનજી તરફથી હિસ્સેદારી ખરીદવા બદલ બે વાર્તાઓ પ્રચલિત છે. એક ઘટના અનુસાર 1960થી 1970 દરમિયાન જેઆરડી ટાટાના પરિજનો પોતાની હિસ્સેદારી શાપૂરજી ફેમિલીને વેચી દીધી હતી. પરંતુ તેના કરતા વધારે ચર્ચિત વાર્તા છે કે શાપૂરજી ફેમીલી બે કરોડ રૂપિયાનું દેવું આપીને ટાટા સંસના એન્ટ્રી લીધી હતી.