ટાટા-મિસ્ત્રી વિવાદમાં ટાટા ગ્રુપની તરફેણમાં સુપ્રીમના ચુકાદા બાદ શાપોરજી પાલનજી ગ્રુપની મુશ્કેલીઓ વધી છે.
સુપ્રીમના ચુકાદા બાદ શાપોરજી ગ્રુપની મુશ્કેલીઓ વધી
ગ્રુપની ઋણ પુનર્ગઠનની યોજના અટકી પડી શકે છે
શાપોરજી ગ્રુપ 22,000 કરોડની ઋણ પુનર્ગઠનની યોજના ધરાવે છે
સુપ્રીમના આ ચુકાદાથી દેવામાં ડૂબેલા શાપોરજી પાલનજી ગ્રુપની 22,000 કરોડની દેવુ પુનર્ગઠનની યોજના અટકી પડી શકે છે.
શાપોરજી ગ્રુપ 22,000 કરોડના દેવા પુનર્ગઠનની યોજના ધરાવે છે
શાપોરજી ગ્રુપ 22,000 કરોડના દેવા પુનર્ગઠનની યોજના ધરાવે છે. ગ્રુપ દેવુ ચુકવવા માટે ટાટા સન્સમાં તેની હિસ્સેદારી વેચવા આતુર છે. એસપી ગ્રુપની ટાટા સન્સમાં 18.4 ટકા હિસ્સેદારી છે જેમાંથી તે અડધી હિસ્સેદારી 5,074 કરોડ રુપિયામાં એક્સિસ બેન્ક અને આઈડીબીઆઈ બેન્કમાં ગિરવે રાખી છે. બાકીની 9.2 ટકા હિસ્સેદારીનો એક ભાગ પણ તે ગીરવે રાખવા માગે છે જેની પર ટાટાએ વાંધો ઉઠાવ્યો છે. એસપી ગ્રુપની ટોરન્ટોની કંપની બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ પાસેથી રુ. 3750 કરોડ એકત્ર કરવાની યોજના છે. પરંતુ સુપ્રીમના ચુકાદા બાદ એસપી ગ્રુપની આ યોજના ઘોંચમા પડી શકે છે.
શાપોરજી પાલોનજી ગ્રુપનું કહેવું છે કે ટાટા સન્સમાં તેની હિસ્સેદારીનું મુલ્ય રુ. 1.5 લાખ કરોડ છે. તો બીજી બાજુ ટાટા સન્સનું કહેવું છે કે એસપીની સ્ટેક વેલ્યુ 70,000 થી 80,000 કરોડ રુપિયા છે. સુપ્રીમના ચુકાદા બાદ બન્ને પક્ષ પોતપોતાના હિસાબે ગણતરી માંડી રહ્યાં છે. ગ્રુપનું કહેવું છે કે કોર્ટે ટાટા સન્સની એ અરજીને પણ ફગાવી દીધી છે જેમાં એસપી ગ્રુપને કંપનીના શેર ગીરવે રાખતા રોકવાની માંગ કરાઈ હતી.
શું છે વિવાદ
એસપી ગ્રુપે એસપી ગ્રુપમાં તેની 18.4 ટકા હિસ્સેદારીની ટાટા લિસ્ટેડ કંપનીઓના શેરની સાથે અદલાબદલીનો પ્રસ્તાવ રજૂ કકર્યો હતો. સાઈરસ મિસ્ત્રીને 2016 માં ટાટા સન્સના ચેરમેન પદેથી હટાવી દેવાયા હતા. ત્યારથી તેમની અને ટાટા પરિવાર વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ગત વર્ષના 29 ઓક્ટોબરે એસપી ગ્રુપે સુપ્રીમ કોર્ટમાં ટાટા ગ્રુપથી અલગ થવાનો એક પ્લાન રજૂ કકર્યો હતો તેમાં તેણે નોન કેશ સેટલમેન્ટની માંગ કરી હતી અર્થાત તે હિસ્સેદારીને બદલે તેને રોકડ પૈસા નહીં પરંતુ તેને ટાટા સન્સનો સ્ટેક હોય તેવી કંપનીઓમાં હિસ્સેદારી જોઈતી હતી.