શાપૂરજી પાલોનજી ગ્રુપે મંગળવારે કહ્યું કે ટાટા સન્સમાંથી બહાર નિકળવાનો સમય આવી ગયો છે. ગ્રુપ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સની સાથે છે. પરંતુ કેટલાક વર્ષોમાં બન્નેના સંબંધોમાં કડવાહટના કારણે હવે જોડીના તુટવાનો સમય આવી ગયો છે.
શાપૂરજી પાલોનજી ગ્રુપ છેલ્લા 70 વર્ષથી ટાટા સન્સની સાથે છે
એસપી)ની પાસે ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી
કોર્ટે એસપીના ટાટા સન્સના શેરને વેચવા પર 28 ઓક્ટોમ્બર સુધી પ્રતિબંધ લગાવ્યો
શાપૂરજી પાલોનજી ગ્રુપ સાઈરસ મિસ્ત્રી પરિવારનું ગ્રુપ છે. શપૂરજી પાલોનજી ગ્રુપે નિવેદન જાહેર કરી કહ્યું કે અમારો અને ટાટાનો સંબંધ 70 વર્ષ જૂનો છે. આ અરસપરના વિશ્વાસ અને મિત્રતા પર બન્યો હતો. મંગળવારે શપૂરજી પાલોનજી ગ્રુપે સુપ્રીમ કોર્ટની સામે કહ્યું કે ટાટા ગ્રુપથી અલગ થવું જરુરી થઈ ગયુ છે. કેમ કે ચાલતા આવી રહેલા કોર્ટ કેસથી આજીવીકા અને અર્થવ્યવસ્થાને અસર પડી શકે છે. ભારે હ્યદયે મિસ્ત્રી પરિવાર એવું માને છે કે તમામ સ્ટેક હોલ્ડર સમુહો માટે શાપૂરજી પાલોનજી ગ્રુપ અને ટાટા સન્સે અલગ થઈ જવું સારુ રહેશે.
શાપોરજી પલ્લોનજી ગ્રુપ(એસપી)ની પાસે ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી છે. ટાટા સન્સ મિસ્ત્રી ગ્રુપને પોતાના ટાટા સન્સના શેરથી ભંડોળ એકઠુ કરવાના પ્રયત્નને રોકવા માટે 5 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજીના માધ્યમથી ટાટા ગ્રુપનો પ્રયત્ન એસપી ગ્રુપને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે શેર ગિરવે મુકતા રોકવાનો છે.
એસપી ગ્રુપ વિભિન્ન કોષોથી 11000 કરોડ રુપિયા ભેગા કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કેનેડાના એક જાણીતા રોકાણકાર સાથે ટાટા સન્સમાં પોતાની 18.37 ટકા ભાગીદારીમાંથી એક ભાગ માટે પહેલા ફેઝમાં 3750 કરોડ રુપિયાના કરાર કર્યા છે. દેશના સૌથી મોટા વ્યાવસાયીક ગ્રુપમાં એસપી ગ્રુપની ભાગીદારીનું મુલ્ય 1 લાખ કરોડ રુપિયાથી વધારે છે.
ટાટા સન્સ તરફથી હરિશ સાલ્વે અને અભિષેક મનુ સિંઘવી કેસ લડી રહ્યા છે. તેમની દલીલ છે કે જો કોઈ શેર વેચે છે તો કંપનીના આર્ટિક્સ ઓફ એસોસિયેશન અંતર્ગત સૌથી પહેલા શેર ખરીદવાનો અધિકાર ટાટા સન્સ પાસે રહેશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે શપૂરજી પાલોનજીના ટાટા સન્સના શેરને વેચવા પર 28 ઓક્ટોમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ટાટા ગ્રુપે મિસ્ત્રી ગ્રુપના શેર ગિરવે મુકવાના પ્રયત્નને રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.