જે રીતે વ્યક્તિના હાથની રેખાઓ જણાવે છે કે તેનુ ભવિષ્ય કેવુ હશે. એ જ રીતે તમારું ભાગ્ય નક્કી કરવામાં તમારા હાથની આંગળીઓનુ પણ મોટુ યોગદાન હોય છે.
હાથની આંગળીઓ પરથી પણ જાણી શકાય છે ભાગ્ય
આવા જાતકોને તરત મળે છે માન સન્માન
આવા જાતકોને જીવનમાં પરેશાની ઓછી થતી નથી
હાથની આંગળીઓ પરથી જાણો તમારું ભાગ્ય
હસ્તરેખા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે હાથની રેખાઓ દ્વારા કોઈ વ્યક્તિનુ આજ અને આવનારા ભવિષ્ય અંગે અનુમાન લગાવી શકાય છે. આ સાથે હાથની આંગળીઓ પરથી પણ આ વાતની જાણકારી મળે છે કે તમારે જીવનમાં કેટલુ સુખ અથવા કેટલુ દુ:ખ ભોગવવુ પડી શકે છે. આજે તમે જાણશો કે આંગળી નાની-મોટી, વાંકી-ચૂકી, પાતળી-મોટી જેટલા પણ પ્રકારની છે, તેનાથી તમારા જીવનમાં શું પ્રભાવ પડવાનો છે.
આવા જાતકોને મળે છે સન્માન, સરળતાથી સફળતા મળતી નથી
હસ્તરેખાઓના જાણકારોનુ કહેવુ છે કે જો વ્યક્તિની સૌથી નાની આંગળી એટલેકે અનામિકા તેની તર્જની આંગળીથી મોટી હોય છે તો માણસોનો સાહિત્ય અને કલા પ્રત્યે ઝુકાવ વધારે હોય છે. પરંતુ આવા વ્યક્તિઓને પોતાના કાર્યોમાં સરળતાથી સફળતા મળતી નથી. જો બંને આંગળી એકબીજાથી બરોબર છે તો આવા વ્યક્તિઓને પૈસાની ક્યારેય કમી થતી નથી. આ સાથે તેઓને સમાજમાં ખૂબ માન-સન્માન મળે છે.
આવા વ્યક્તિઓ દુ:ખથી ઘેરાયેલા રહે છે
જે વ્યક્તિની મધ્યમા આંગળી તર્જની આંગળીની તુલનામાં મોટી હોય છે. અલગ-અલગ પ્રકારની પરેશાનીઓ હંમેશા તેમના જીવનમાં આવતી રહે છે. આવા જાતકો હંમેશા દુ:ખથી ઘેરાયેલા રહે છે. તેમના પોતાના નિર્ણયો તેમના જીવનમાં ઝેર ફેલાવવાનુ કામ કરે છે. જેના કારણે તેમના પરિવારજનોને પણ અનેક પ્રકારની વિટંબણાઓનો સામનો કરવો પડે છે.
પોતાના સપનામાં ખોવાયેલા રહે છે આવા વ્યક્તિ
એવા વ્યક્તિ જેની મધ્યમા આંગળી તર્જની આંગળીની તુલનામાં ખૂબ નાની હોય છે. તેના માટે હસ્તરેખાના જાણકાર કહે છે કે આ શુભ સંકેત હોતો નથી. આવા જાતકો પોતાના સપનામાં ખોવાયેલા રહે છે. તેઓ કામ ઓછુ કરે છે અને મોટા-મોટા સપના વધારે જોવે છે. આવા માણસની અંદર ટેલેન્ટની કમી હોય છે.