નવી દિલ્હીઃ ઉર્જિત પટેલના રાજીનામું બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને નવા ગવર્નર મળી ગયા છે. નાણા આયોગના સભ્ય શક્તિકાંત દાસને આરબીઆઇના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. શક્તિકાંત દાસ આ પહેલા આર્થિક મુદ્દાઓના સચિવના પદ પર પણ પોતાની સેવાઓ આપી ચૂક્યા છે. ગત વર્ષ આ પદથી રિટાયર થયા હતા. મોદી સરકારના નોટબંધીના નિર્ણયમાં પણ તેમની મુખ્ય ભૂમિકાઓ રહી હતી.
નવી દિલ્હીના સેન્ટ સ્ટીફન કોલેજથી માસ્ટર્સ ડિગ્રી લાવનારા શક્તિકાંત દાસ ભારત સરકારના નાણા મંત્રાલય અને ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચરના જોઇન્ટ સેક્રેટરી તમિલનાડુ સરકાર સ્પેશિયલ કમિશ્નર અને રેવેન્યૂ કમિશ્નર ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટના સેક્રેટરીની સાથોસાથ કેટલાક મહત્વપૂર્ણ પદો પર કામ કર્યું છે.
જણાવી દઇએ કે ગત વર્ષે થયેલ નોટબંધીનો નિર્ણય લેવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા હતી. સરકાર તરફથી લેવામાં આવેલ નિર્ણયનો ડ્રાફ્ટ બનાવનારા દાસ પણ સામેલ હતા.