પાટણમાં મુખ્યમંત્રી રૂપાણીએ શંખેશ્વરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન જૈન મહારાજ સાહેબ ગુસ્સે થયા હતાં. વૃધ્ધ જૈન મહારાજ સાહેબ મંદિરમાં જવાની જીદ કરતા તેમને રોકવામાં આવ્યા આવ્યા હતાં. તેથી ગુસ્સે ભરાયેલા મહારાજ સાહેબે રોકનાર કાર્યકરને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતાં. જૈન સાધુ હિંસક બનતા જૈન સાધુની ગરિમા ઉપર સવાલ ઉઠયા હતાં.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજરોજ પાટણ જીલ્લાના શંખેશ્વર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે શરૂ કરાયેલી આ વિસ્તારની કોલેજનું તકતીનું અનાવરણ કર્યું હતું.
તકતી અનાવરણમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે જૈનમુનિઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીના પત્ની પણ આજરોજ શંખેશ્વરના મહેમાન બન્યા હતા.