આજે ગામમાં શહેર જેવી સુવિધા મળે તે માટે વિવિધ સરપંચોએ હાલમાં કવાયત શરુ કરી છે પરંતુ ખરા અર્થમાં આજે મહેસાણાના બહુચરાજી તાલુકાનું શંખલપુર આજે સોહામણું બનવા ગયું છે આજે ગામ માં આર.સી.સી રોડથી લઇને પીવાના મિનરલ પાણી અને ગામના દરેક ઘરે શૌચાલય સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને શંખલપુર સોહામણું રે એ પંક્તિને આ ગામ આજે સાર્થક કરી રહ્યું છે.
આ સોંહામણુ શંખલપુર છે
અહીં ગામ નહીં પણ છે શહેરની સુવિધા
શહેરને શરમાવે તેવી સુવિધાઓ
નવરાત્રિ હોય કે આનંદનો ગરબો પાર્ટીપ્લોટોની ઝાકમઝોળ અને ડીજેના તાલ વચ્ચે માં બહુચરાજીના આદ્ય સ્થાનક શંખલપુર ગામને અચૂક યાદ કરવામાં આવે છે. બહુચરાજી માતાજી અહીં બિરાજમાન છે. વર્ષમાં એકવાર માં બહુચરાજીની પાલખી બહુચરાજીથી શંખલપુર આવે જેમાં બાળા ત્રિપુરા માં બહુચરા માતાજીના નામ સાથે જોડાયેલા ગરબાની ધૂન આજે પણ મુંબઇથી લઇને અંબાજી સુધી અને વિશ્વભરમાં સાંભળવા મળે છે.
ગામમાં ઉભી કરાઇ શહેર જેવી સુવિધા
જેમાં નવરાત્રિમાં ગવાતા ગરબામાં મા બહુચરના ધામ શંખલપુર સાથે જોડાયેલા ગરબા શંખલપુર સોહામણું રે લોલ ગરબો ચોકકસ ગવાય છે. જે સોહામણું બનવા માટે આજે ગામના સરપંચથી લઇને સ્થાનિકોએ ભારે મહેનત કરી છે અને આજે ગામમાં સોહામણું બનતા સ્થાનિક લોકો ખુબ ખુશ છે જેમાં પીવાના મિનરલ પ્લાન્ટથી લઈને પેવર આરસીસી રોડ અને બ્લોક સહીતના રસ્તાને કુદરતી વૃક્ષઓના ઉછેર સહિત ની વેવસ્થા કરવામાં આવી છે જ્યારે અહીં માં બહુચરા બિરાજમાન હોવાથી મંદિરમાં સ્થાનિક લોકોના દાન થાકી ભોજન પ્રસાદથી લઇને રહેવા માટે વ્યવસ્થા પણ ગામ માં કરવા માં આવી છે
શંખલપુર સોહામણું રે લોલ સાચા અર્થમાં થઇ રહ્યું સાર્થક
આજે ગામ ત્યારેજ ઓળખાય છે જેમાં લોકગીત અને વિકાસ આ બને ચરિતાર્થ થતા હોય ત્યારે દરેકને મા બહુચરના 5200 વર્ષ પ્રાચીન ધામમાં અને તેમાં પણ બાળા ત્રિપુરાના યન્ત્ર જે જગ્યા પર છે તેવા શંખલપુર ગામ ને લોકસંગીતના ગરબા ના તાલ અને સ્થાનિક લોકો ના વિકાસ થકી આજે આ ગામ શંખલપુર સોહામણું રે લોલ ના તાલે અને રહી ને જુમી ઉઠે છે તેમ કહીયે તો નવાઈ નહીં.