રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાતનો રાજકીય માહોલ ગરમાયો છે. 2 દિવસ અગાઉ NCP નેતા શંકરસિંહ વાઘેલાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ જનતા સાથે મેચ ફિક્સિંગ કરે છે. ત્યારે શનિવારે ફરી મહત્વનું નિવેદન આપ્યું છે કે, NCPના MLA ભાજપને મત આપે તો મેચ ફિક્સિંગ કહેવાશે.
NCPના MLA ભાજપને મત આપે તો મેચ ફિક્સિંગ કહેવાશે: શંકરસિંહ
19મીએ NCP સાથે મારા સંબંધોનુ ભાવિ નક્કી કરશે: શંકરસિંહ
પક્ષપલટો કરનારાઓને સજા થાય તેવા નિયમો જરૂરી: શંકરસિંહ
એક તરફ NCPએ શંકરસિંહની સત્તા પર કાપ મૂક્યો છે, બીજી તરફ તેમણે ટ્વીટર પરથી પણ NCP જનરલ સેક્રેટરીની ઓળખ દૂર કરી છે. તેઓ NCP છોડી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે. તેવામાં તેમણે NCP અને ભાજપને લઇને નિવેદન આપતા કહ્યું કે, NCPના MLA ભાજપને મત આપે તો મેચ ફિક્સિંગ કહેવાશે. 19મીએ NCP સાથે મારા સંબંધોનુ ભાવિ નક્કી કરશે. મને લાગે છે કે ભાજપના 3 ઉમેદવાર રાજ્યસભામાં જીતશે.
વધુમાં તેમણે કહ્યું કે, હાલનું રાજકારણ દાદાગીરીવાળુ થઇ ગયું છે. ભાજપને એક સીટ મળે તોય શું અને ન મળે તોય શું, ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો શા માટે તોડી રહી છે. લોકશાહીનું ખૂન ન કરવું જોઇએ.
કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે ત્યારે આ અંગે શંકરસિંહે કહ્યું કે, કોંગ્રેસમાં દમ હોય તો ધારાસભ્ય તોડો. કોંગ્રેસ ખેલ પાડે ભાજપના ધારાસભ્યો લઇ આવે. પક્ષપલટો કરનારાઓને સજા થાય તેવા નિયમો જરૂરી છે. દહેજમાં કેમિકલ કંપનીમાં અકસ્માત મામલે તેમણએ કહ્યું કે, સ્થાનિકોના સ્વાસ્થ્યના ભોગે ચાલતી ફેક્ટરીઓને ગુજરાત બહાર કાઢો.