કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે, ત્યારે આજે લોક જનશક્તિ પાર્ટીના સર્વેસર્વા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલનમાં જવા માટે નીકળ્યા હતા. પરંતુ તેમને દિલ્હી ખેડૂત આંદોલનમાં જતા રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર ખાતે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરી બીજા જલિયાવાલા હત્યાકાંડની સંભાવના વ્યક્ત કરી છે. શંકરસિંહે આરોપ પણ લગાવ્યો હતો કે તેને નજરકેદ કરવામાં આવ્યા છે.
શંકરસિંહ વાઘેલાએ ખેડૂત અધિકારી યાત્રાની કરી જાહેરાત
શંકરસિંહ વાઘેલાને ગુજરાતમાં નજરકેદ કર્યા
સરકાર દ્વારા વિરોધ રજૂ કરવાની વાતને દબાવી દેવામાં આવે છેઃ શંકરસિંહ
શંકરસિંહ વાઘેલાએ અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધી ખેડૂત અધિકાર યાત્રા યોજીને અનશન પર બેસવાની જાહેરાત કરી હતી. દિલ્હીમાં છેલ્લા 44 દિવસથી ચાલી રહેલા કિસાન આંદોલનને સમર્થન આપવા શંકરસિંહ વાઘેલાએ આજે રાજસ્થાન રતનપુર બોર્ડરથી 100 જેટલા સ્વયંસેવકોને દિલ્હી ખાતે મોકલ્યા હતા. જોકે ગુજરાત સરકારે તેમને(શંકરસિંહ) નજર કેદ કર્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન ખેડૂતો અને તેમની પાર્ટીના કાર્યકર્તાઓની ધરપકડ કરીને વાઘેલાની અધિકાર યાત્રા રોકવાનો સરકારે પ્રયાસ કર્યો હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. દરમિયાન આજે તેઓ રાજસ્થાનથી દિલ્હી માટે ખેડૂત સમર્થન માટે રવાના થયા છે. જોકે રાજસ્થાન જતાં ખેડૂતો અને કાર્યકર્તા,નેતાઓને ગુજરાત સરકારના આદેશ પર પોલીસે પકડી લીધા હતા, જેથી તેઓ રાજસ્થાન પહોંચી શક્યા ન હતા.
गुजरात के 100 किसानों और पार्टी के कार्यकर्ताओं को राजस्थान से दिल्ली बॉर्डर पर किसान आंदोलन के समर्थन में भेजा है। गुजरात में भाजपा सरकार द्वारा दिल्ली जाने से रोका जा रहा था जिस वज़ह से हमारी 'किसान अधिकार यात्रा' को राजस्थान से शुरू करना पड़ा है। pic.twitter.com/KSmyUpBzNR
જો કોઇ વિરોધ કરે તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયઃ શંકરસિંહ વાઘેલા
હિંમતનગર ખાતે તેમણે નિવેદન આપ્યું હતું કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ રજૂ કરવાની વાતને દબાવી દેવામાં આવે છે. ભાજપ સરકાર ડરી ગઈ છે. એટલા માટે તે ખેડૂતોને દિલ્હી જતાં રોકી રહી છે. તેમજ કોઈપણ વ્યક્તિ વિરોધ કરે તો તેને જેલના સળિયા પાછળ ધકેલી દેવાય છે. સાથોસાથ શંકરસિંહે પોલીસ તંત્રને ભાજપના કાર્યકરો ગણાવી જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ભાજપનો કાર્યકર બની ભાજપનું સમર્થન કરી રહ્યો છે, જે સ્થાનિક લોકશાહી માટે પણ ખતરો છે. તેમજ દિલ્હી સરકાર જે પ્રકારે કિસાનોની વાતને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આગામી સમયમાં બીજો જલિયાવાલા હત્યાકાંડ થાય તેવી પૂર્ણ સંભાવનાઓઃ શંકરસિંહ વાઘેલા
વધુમાં તેમણે જણાવ્યું કે, ખેડૂતો પર જે પ્રકારે રોષે ભરાયા છે તે જોતા આગામી સમયમાં બીજો જલિયાવાલા હત્યાકાંડ થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર લોહીની રાજ રમતમાં માહેર હોવાને પગલે જલિયાવાલા હત્યાકાંડ સર્જાય તો પણ આ વાત નહીં માને જે આગામી સમયમાં તેનું પતન કરશે. રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે તાત્કાલિક આ મામલે રાજીનામું આપી દેવાની નૈતિક ફરજ ગણાવી હતી.