શંકરસિંહ વાઘેલાએ BKUના મહાસચિવ સાથે સરકારે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું દુઃખ વ્યકત કર્યુ. શંકરસિંહે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રંપના કાર્યક્રમ માટે કોઇ પરમિશન લીધી હતી?
શંકરસિંહ વાઘેલાએ કરી પત્રકાર પરિષદ
"BKUના મહાસચિવ સાથે સરકારે અભદ્ર વ્યવહાર કર્યો"
"ડોનાલ્ડ ટ્રંપના કાર્યક્રમ માટે કોઇ પરમિશન લીધી હતી?"
શંકરસિંહ વાઘેલાએ કરી પત્રકાર પરિષદ કરીને ગુજરાત સરકારની નીતિઓની ટિકા કરી હતી. BKUના મહાસચિવ સાથે સરકારે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું દુઃખ વ્યકત કર્યુ હતું. શંકરસિંહે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રંપના કાર્યક્રમ માટે કોઇ પરમિશન લીધી હતી? ગુજરાતમાં બોલવાની સ્વતંત્રતા રહી ન હોવાના પ્રહાર કર્યા હતા. ગુજરાતના તમામ લોકોનો અવાજ દબાવાઈ રહ્યો છે. દિલ્લીમાં આંદોલનમાં ભાગ લેવા જતા પણ ખેડૂતોને અટકાવ્યા હતા. દિલ્હી આંદોલનમાં જનાર લોકોને પોલીસે રોક્યા હતા. હાલ ગુજરાતમાં અઘોષિત ઈમરજન્સી લાગૂ હોવાના શંકરસિંહે પ્રહાર કર્યા હતા.
ગાંધી આશ્રમનું નામ બદલી દોઃ શંકરસિંહ
યુદ્ધવિર સિંહની પ્રેસ કેન્ફરન્સમાંથી અટકાયત કરાતા શંકરસિંહ ગુસ્સે ભરાયા હતા. શંકરસિંહે કહ્યું કે, રાકેશ ટીકૈત સાથે ગાંધી આશ્રમ જશું. અમને રોકવા હોય તો રોકી લેજો. તમામ જગ્યાએ તમે પોતાનું કલ્ચર બેસાડવા માગો છો. ગાંધી આશ્રમનું નામ મોહન મધુકર ભાગવત રાખી દો. સાથે પોલીસ કર્મચારીઓનો પણ ઉલ્લેખ કરીને કહ્યું કે, જે પોલીસ અધિકારી BJPના વર્કરનો રોલ નિભાવવો હોય તો, તેના કાર્યકર બની જાઓ. કોઈ સરકાર ટકવાની નથી.
રાકેશ ટીકૈતે ગુજરાત સરકાર પર કર્યા પ્રહાર
અમદાવાદમાં ખેડૂત નેતા યુદ્ધવીર સિંહની અટકાયત મામલે રાજકારણ ગરમાયું છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે. આ ઘટનાને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે નિવેદન આપ્યું છે. આ ઘટના જ ગુજરાત મોડલની હકીકત સામે આવી રહી છે. ખેડૂતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. તેથી હવે ખેડૂતોનો સંઘર્ષ હવે વધુ તેજ બનશે અને આંદોલન વધુ તેજ બનશે તેવી ચીમકી ટિકૈતે ઉચ્ચારી છે.
રાકેશ ટીકૈત આવશે ગુજરાત
ખેડૂત નેતા રાકેશ ટિકૈત ગુજરાતના પ્રવાસે આવશે. રાકેશ ટિકૈત 4 અને 5 એપ્રિલે ગુજરાત આવશે. સંયુક્ત કિસાન મોરચાએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાકેશ ટિકૈતની ગુજરાત મુલાકાત અંગે જાહેરાત કરી છે. 4 એપ્રિલે અંબાજીના દર્શન કરીને રાકેશ ટિકૈત પ્રવાસની શરૂઆત કરશે. ત્યાર બાદ પાલનપુરમાં કિસાન સંમેલન યોજશે. ત્યાર બાદ ઊંઝામાં ઉમિયા માતાના મંદિરમાં શિશ ઝુકાવશે. અને 5 એપ્રિલના ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ટિકૈત 5 એપ્રિલે કરમસદમાં સરદાર સ્મારકની પણ મુલાકાત લેશે. સાથે જ બારડોલીમાં કિસાન સંમેલનને પણ સંબોધિત કરશે.
શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટીકૈતને આપ્યું છે આમંત્રણ
ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટીકૈતને ગુજરાતનું આમંત્રણ અપાયું છે. ગુજરાતમાં નવા 3 કૃષિકાયદા અંગે આંદોલન ઉભું થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ખેડૂત આંદોલનનો મુખ્ય ચેહરો હવે શંકરસિંહ વાઘેલા બનશે. શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટીકૈતને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.