અમદાવાદ: લોકસભાની ચૂંટણીને લઈને શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે. થોડા સમય પહેલા તેમને ગાંધીનગર ખાતેના નિવાસસ્થાનેથી પત્રકારોને સંબોધ્યા હતા. ત્યારે તેમને એનસીપીમાં જોડાવા મામલે સ્પષ્ટતા કરી હતી. હવે તેઓ આજે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને આગામી સમયમાં તેમની રણનીતી શું છે તે જાણાવવાના છે.
ચૂંટણીમાં પોતાની ભૂમિકાને લઇને જાહેરાત શંકરસિંહ જાહેરાત કરી શકે છે અને ભાજપ સરકાર સામે વિપક્ષોને એક કરવાના પ્રયાસ કરી શકે છે. ભાજપ સામે વિપક્ષોને એક કરવાની ભૂમિકા બનાવવાનો પ્રયાસ શંકરસિંહ કરી શકે છે.
આ ઉપરાંત કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના આગેવાનો સાથે શંકરસિંહ મુલાકાત કરવાના છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે પણ શંકરસિંહ મુલાકાત કરવાના છે. જો કે શંકરસિંહ વાઘેલાએ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
આપને જણાવી દઇએ કે 2017ની ચૂંટણી સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શંકરસિંહ વાઘેલાએ પક્ષ સાથેથી છેડો ફાડ્યો હતો. ત્યારબાદ તેમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપમાં પ્રવેશ કરતા તેઓએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને મહેન્દ્રસિંહને ધીરજ રાખવા માટે સલાહ આપી હતી.
જો કે ગઇકાલે તેઓ અચાનક દિલ્હી જવા રવાના થતાં ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. ત્યારે આજ રોજ કોંગ્રેસના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલા આજે દિલ્હીમાં કોઇ મોટી જાહેરાત કરે તો નવાઇ નહીં.