રાજ્યમાં પાણીના સંકટને લઈને આજે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ નવસારીના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તેમણે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી.
નવસારીની મુલાકાતે આવેલા એનસીપીના નેતા શંકરસિંહે ગ્રામ્ય પંથકમાં ફરીને પાણીના પ્રશ્ને સરકારને આડેહાથ લીધી હતી અને જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પાણી આપવું જોઈએ. પશુઓ માટે પણ પાણી ના મળતુ હોય ત્યારે ખેડૂતોએ કેનાલમાંથી પાણી લેવુ પડે છે.
રાજ્યમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. જેને લઈને NCP જળસંકટ સપ્તાહ ઉજવી રહ્યુ છે. જેના ભાગરૂપે NCP ના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ નવસારીની આજરોજ મુલાકાત લીધી હતી.
પાણી મુદ્દે કોંગ્રેસ હરકતમાં
ગુજરાતમાં પ્રવર્તી રહેલ પાણીની સમસ્યાને લઈને ગુજરાત કોંગ્રેસ આંદોલનના મૂડમાં જણાઈ રહી છે આ અંગે કોંગ્રેસે તાલુકા જિલ્લા સંગઠનને પાણીની સમશ્યા અંગે રિપોર્ટ તૈયાર કરવા સૂચના આપી દીધી છે. જે અંતર્ગત ૮ મી તારીખથી ગુજરાત કોંગ્રેસનું સંગઠન તેમના વિસ્તારમાં પાણીને લઈને જે પણ સમસ્યા છે તે અંગેનો એક રીપોર્ટ સ્થળ તપાસ કરીને તૈયાર કરશે.
જે રીપોર્ટનો પાણી અંગેનો એક અહેવાલ તૈયાર કરીને જે વિસ્તારમાં પાણીની સમસ્યા ઘેરી બની છે ત્યારે કોંગ્રેસ સ્થાનિક પ્રશાશન અને રાજ્ય સરકારને માંગ કરશે કે લોકોની સમસ્યા અંગે સરકાર યોગ્ય કાર્યવાહી કરે. જો સરકાર આવું નહિ કરે તો કોંગ્રેસ આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી પણ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ઉચ્ચારી છે.