શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર મહેણાંઓનો વરસાદ વરસાવ્યો હતો.
સરકારી કંપનીઓના ખાનગીકરણનો મામલો
શંકરસિંહ વાઘેવાના સરકાર પર પ્રહાર
કેન્દ્રને ખાનગી કંપની સાથે સરખાવી
સરકારી કંપનીઓના ખાનગીકરણનો મામલે શંકરસિંહ વાઘેલા ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકારને ખાનગી કંપની સાથે કરી સરખામણી કરતી પોસ્ટ મૂકીને તેમણે જણાવ્યું હતુ કે, સરકારના ખાનગીકરણના દિવસો દૂર નથી.
'Govt of India Pvt. Ltd'
This Day is not far away!
— Shankersinh Vaghela (@ShankersinhBapu) March 6, 2021
રોજગારી અંગે પણ ટોણો
દર વર્ષે ભાજપ સરકાર એક ને એક વાયદાઓ કરે છે કે 5 વર્ષમાં 2 લાખ નોકરીઓ આપીશું પણ આટલા વર્ષો વીત્યા છતાં નોકરીઓ આપી નથી શક્યા અને ખુદ સરકારના આંકડા મુજબ તેઓએ 4 વર્ષમાં માત્ર 1 લાખ નોકરી આપી છે જ્યારે મારી સરકારે 1996 માં 1 વર્ષની અંદર 1 લાખ સરકારી નોકરીઓ આપી હતી.