અમદાવાદ: શંકરસિંહ વાઘેલા NCPમાં જોડાઈ શકે તેવી શક્યતાઓ વચ્ચે તેમણે આજરોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું સેવાઈ રહી છે. પોતાના સત્તાવાર નિવાસસ્થાન વસંત વગડો ખાતે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં શંકરસિંહ વાઘેલાએ રાજકારણમાં ફરીથી સક્રિય થવા મુદ્દે ખાસ ચર્ચા કરી હતી. શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં ગણપતિને યાદ કર્યા હતા તો આ સાથે જ આજથી શરૂ થયેલ રામદેવપીરની નવરાત્રિનો પણ ઉલ્લેખ કર્યો હતો.
શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે વિઘ્નહર્તા લોકના દુખ દુર કરે છે. આ સાથે જ ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રમોદીને યાદ કરતા સરકાર પાસેથી સાડાચાર વર્ષનો હિસાબ માગ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે આજે સાડા ચાર વર્ષ કેન્દ્ર સરકારને થવા આવ્યા છે ત્યારે દેશ અને પ્રદેશની જનતાને આપેલા વાયદાનો સરકાર હિસાબ આપે.
આ સાથે જ પોતાના સંબોધનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાએ પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે પણ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે મોંઘવારીનાં મૂળ પેટ્રોલ-ડિઝલનાં ભાવ વધારો છે.
એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવી જોઇએ. સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરે તો ભાવ જરૂરથી ઘટી શકે. રાજ્ય સરકારે વેટ પણ ઓછો કરવો જોઇએ. સરકારને ન શોભે તેવી વાતો હાલમાં મંત્રીઓ દ્વારા કરાય છે. પહેલા રોજગારીનાં વચનો આપ્યાં અને હવે પકોડા તળવાની સલાહ આપે છે.
જાણો શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ..
(5:04:21 PM) સરકારે આ ભાવ જોઇને શરમથી ડૂબી જવું જોઇએઃ શંકરસિંહ
(5:04:35 PM) હાલની સ્થિતિ પર પીએમ જ જવાબદાર છેઃ શંકરસિંહ
(5:05:01 PM) રૂપિયો ગગડે કે પેટ્રોલ ડિઝલના ભાવ વધે તેના માટે PM જવાબદાર: શંકરસિંહ
(5:05:08 PM) પેટ્રોલ-ડિઝલના ભાવ 100 રૂપિયા નજીક પહોંચ્યાઃ શંકરસિંહ
(5:05:23 PM) મોંઘવારીના મૂળ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારો છેઃ શંકરસિંહ
(5:05:33 PM) એક્સાઇઝ ડ્યુટી ઓછી કરવી જોઇએઃ શંકરસિંહ
(5:05:53 PM) સરકારે એક્સાઈઝ ડ્યૂટી ઓછી કરે તો ભાવ ઘટી શકે: શંકરસિંહ
(5:05:58 PM) રાજ્ય સરકારે વેટ ઓછો કરવો જોઇએઃ શંકરસિંહ
(5:06:20 PM) સરકારને ન શોભે તેવી વાતો મંત્રીઓ દ્વારા કરાય છેઃ શંકરસિંહ
(5:08:00 PM) પહેલા રોજગારીના વચનો આપ્યા હવે પકોડા તળવાની સલાહ આપે છે: શંકરસિંહ
(5:08:18 PM) દેશના ખેડૂતોને સરકાર દગો કરી રહી છે: શંકરસિંહ
(5:08:59 PM) ખેડૂતોને વિજળી સિંચાઈના પાણી પુરા પાડવામાં સરકાર નિષ્ફળ: શંકરસિંહ
(5:09:36 PM) હાલની કેન્દ્ર સરકાર તમામ મોરચે નિષ્ફળ: શંકરસિંહ
(5:11:32 PM) ત્રીજા મોરચા જેવુ કશુ હોતુ નથી: શંકરસિંહ
(5:13:01 PM) રાહુલ ગાંધીએ સેક્રીફાઈસની વાત કરી: શંકરસિંહ
(5:13:18 PM) ભાજપ સામે બધા વિપક્ષોએ એક થવું જોઇએઃ શંકરસિંહ
(5:13:44 PM) ભાજપ સામે ત્રીજો અને પણ બીજો મોરચો બનવો જોઇએઃ શંકરસિંહ
(5:13:55 PM) લોકસભાની ચૂંટણીમાં સક્રિય રહીશ: શંકરસિંહ
(5:13:59 PM) મારા નિર્ણયને મહેન્દ્રસિંહનું સમર્થન છેઃ શંકરસિંહ
(5:14:14 PM) ભાજપ સામે ત્રીજો નહી પણ બીજો મોરચો બનવો જોઇએઃ શંકરસિંહ
(5:15:03 PM) શંકરસિંહનું સૌથી મોટુ નિવેદન
(5:14:31 PM) હું જે કાંઈ નિર્ણય લઈશ તેમાં મહેન્દ્રસિંહ રાજી-શંકરસિંહ
(5:15:31 PM) NCPના સિમ્બોલ પર કોંગ્રેસની મદદથી મેદાનમાં ઉતરે તેવો ઈશારો
(5:15:47 PM) એક મોરચાની વિરૂદ્ધ તમામ લોકોનો મોરચો બનાવવો છે-બાપુ
(5:15:59 PM) ભાજપની સામે તમામ લોકો લડે તેના માટે મહેનત કરીશ-બાપુ
(5:16:16 PM) ત્રીજો મોરચો નહી પણ બીજો મોરચો બને તે દેશહિતમાં
(5:16:40 PM) એક રાજ્યમાં બે વિરોધીઓ કેન્દ્રમાં ભાજપ સામે લડે છે-બાપુ
(5:17:08 PM) NCP-કોંગ્રેસ સાથે મળીને ભાજપ સામે ગુજરાતમાં લડે તેવી ઈચ્છા
(5:17:46 PM) ભાજપ સામે લડવાની શંકરસિંહની ઈચ્છા સ્પષ્ટ થઈ
(5:18:33 PM) ગુજરાતમાં કોંગ્રેસમાંથી નહી લડીને ભાજપ સામે લડવાની રણનીતચિ
(5:18:37 PM) ભાજપ વિરોધી મતોનું વિભાજન ન થવુ જોઈએ: શંકરસિંહ
(5:19:03 PM) ભાજપ વિરૂદ્ધના મતોનું વિભાજન થાય તે જરૂરી-શંકરસિંહ
(5:19:31 PM) NCP અને કોંગ્રેસે ભાજપને હરાવવા સમાધાનો કર્યા છે
(5:19:48 PM) રાહુલ ગાંધીએ પણ પીએમની રેસમાં નહી હોવાનું નિવેદન કર્યું છે
(5:20:04 PM) રાહુલ ગાંધીએ આ નિવેદન કરીને મોટુ બલિદાન આપ્યું-શંકરસિંહ
(5:20:12 PM) રાહુલના પણ શંકરસિંહે વખાણ કર્યા
(5:20:29 PM) રાહુલ ગાંધીના વખાણ કરીને ટેકાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો
(5:20:39 PM) અહેમદ પટેલના ફાર્મ પર ચા પીવા ગયો હતોઃ શંકરસિંહ
(5:21:09 PM) 2019ના એપ્રિલ-મૅ મહિનામાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી
(5:21:20 PM) મારા એલ.કે.અડવાણી સાથે વાત થઇઃ શંકરસિંહ
(5:21:34 PM) એલ.કે.અડવાણી લોકસભાની ચૂંટણી લડશેઃ શંકરસિંહ
(5:21:42 PM) એલ.કે. અડવાણીએ કીધુ કે હું ગાંધીનગર લોકસભા લડીશ: શંકરસિંહ
(5:21:46 PM) મને કોઇને મળવામાં શરમ નથી આવતીઃ શંકરસિંહ
(5:21:48 PM) સૌથી મોટો સવાલ એ છે કે મહેન્દ્રસિંહ ભાજપ છોડશે?
(5:21:57 PM) બે મહિના પહેલા જ મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા છે
(5:22:02 PM) હું કંઇ પણ છુપાવવા માગતો નથીઃ શંકરસિંહ
(5:22:06 PM) મહેન્દ્રસિંહ વાઘેલા શંકરસિંહના દિકરા છે
(5:22:18 PM) મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાયા તે શંકરસિંહને નહોતું ગમ્યું
(5:22:53 PM) અડવાણીએ મને કહ્યું મારે લોકસભાની ચૂંટણી લડવાની છે-બાપુ
(5:23:07 PM) સ્થાનિક પાર્ટીઓ વચ્ચેના મતભેદ દૂર કરવા જરૂરીઃ શંકરસિંહ
(5:23:25 PM) અડવાણીએ ગાંધીનગરથી ચૂંટણી લડવાની મને વાત કરી-શંકરસિંહ
(5:24:59 PM) યોજનાઓના માત્ર નામ બદલી નખાયા: શંકરસિંહ
(5:25:08 PM) ભાજપના તમામ ધારાસભ્યો મારા સંપર્કમાં છેઃ શંકરસિંહ
(5:25:32 PM) હું 2019માં BJPની સામેનો PM જોવા માગુ છુ: શંકરસિંહ
(5:25:42 PM) હું ઘરવાપસીની શોધમાં નથી: શંકરસિંહ
(5:25:56 PM) હું મારા ઠેકાણે જ છું: શંકરસિંહ
(5:26:29 PM) હું NCP અને કોંગ્રેસમાં જોડાવાનો નથી: શંકરસિંહ