શંકરસિંહ વાઘેલાની રાજનીતિમાં ફરી કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોવાની ચર્ચા સામે આવી, શંકરસિંહ વગર શરતે કોંગ્રેસમાં જોડાવા થઈ ગયા
શંકરસિંહ વાઘેલાની કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર
ગમે તે ઘડીએ શંકરસિંહ વાઘેલા જોડાશે કોંગ્રેસમાં
શંકરસિંહ વગર શરતે કોંગ્રેસમાં જોડાવા થઈ ગયા છે તૈયાર
મૂળ ભાજપ અને RSSના ગોત્ર સાથે સંકળાયેલા શંકરસિંહ વાઘેલાની રાજનીતિમાં ફરી કોંગ્રેસમાં રી-એન્ટ્રીનો તખ્તો તૈયાર થઈ રહ્યો હોવાની ચર્ચા સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગમે તે ઘડીએ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે. શંકરસિંહ વગર શરતે કોંગ્રેસમાં જોડાવા થઈ ગયા હોવાની પણ વાત સામે આવી છે. જેમાં ભરતસિંહ સોલંકી, શંકરસિંહ વાઘેલા અને હાઇકમાન્ડ વચ્ચે કરી મધ્યસ્થી રહ્યાં છે.
બાપુ ક્યારે કોંગ્રેસનો ખેસ કરશે ધારણ?
સારૂ મુહૂર્ત જોઈ અને શંકરસિંહ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે. તેનું એક પુરાવા તરીકે એ પણ છે કે, શંકરસિંહ સતત કોંગ્રેસમાં નેતાઓ સાથે જોવા મળી રહ્યા છે. તો ગઈકાલે ભરતસિંહે રાખેલ યજ્ઞમાં પણ શંકરસિંહ વાઘેલા હાજર રહ્યા હતા.
ગુજરાત કોંગ્રેસના હાલ અત્યાર બૂરા છે. કારણ કે, વિધાનસભામાં પણ ધારાસભ્યોના પક્ષ પલટાને કારણે સંખ્યાબળ ઓછુ થઈ ગયું છે. એવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રકાસ વળી ગયો છે. એવામાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. અને વિપક્ષના નેતાના પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપ્યુ છે. અને વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે. .
માર્ચ 2021માં શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં આવવા અંગે ભરતસિંહનું નિવેદન સામે આવ્યું હતું. જેમાં ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા લોકોને સ્વીકારીશું. જે આવશે તેનું સ્વાગત કરીશું. અને હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલા અંગે અંતિમ નિર્ણય લેશે. જો હાઇકમાન્ડ કહેશે તો અમે શંકરસિંહને આવકારીશું. અને હાલની સ્થિતિને ધ્યાને લઇ હાઇકમાન્ડ નિર્ણય લેશે.
શંકરસિંહની કોંગ્રેસમાંથી એક્ઝિટની કથા!
2017ની ચૂંટણી પહેલા શંકરસિંહ મુખ્યમંત્રીના ઉમેદવારની જીદ લઈને બેઠા હતા
કોંગ્રેસ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી જીદ હતી
કોંગ્રેસે ચૂંટણી પછી મુખ્યમંત્રી નક્કી કરવાની વાતને પકડી રાખી હતી
શંકરસિંહે નક્કી કરી લીધું કે હવે કોંગ્રેસ તેમને સીએમ પદના ઉમેદવાર નહી બનાવે
એ સમયે જ રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી થવાની હતી
બરાબર 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી થવાની હતી
કોંગ્રેસને ભનક લાગી કે કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનો પ્રયત્ન થશે
શંકરસિંહે પોતાના વેવાઈ બળવંતસિંહ રાજપૂતને પાંચમાં ઉમેદવાર તરીકે ઉભા રાખેલા
પ્લોટ એવો હતો કે કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામા આપે
કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં રહીને ક્રોસ વોટિંગ કરે અને બળવંતસિંહને જીતાવે
કોંગ્રેસને શંકરસિંહની આખી ગેમની ગંધ આવી ચૂકી હતી
કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા અને 2 ક્રોસ વોટિંગ કરવાના હતા
કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને લઈને બેંગલુરુના રિસોર્ટમાં પહોંચી
કોંગ્રેસ તરફી 2017માં છોટુ વસાવાએ મતદાન કરેલું અને અહેમદ પટેલ સાંસદ બન્યા હતા
બળવંતસિંહ જીતે તો અહેમદ પટેલની હાર થાય એમ હતી
રાજ્યસભાની આ ચૂંટણી પછી શંકરસિંહ કોંગ્રેસને ન ગમતા નેતા બની ગયા હતા
કોંગ્રેસે એ પણ આરોપ લગાવેલો કે તેમના પર કેસ થયા છે તેના બદલામાં ભાજપને મદદ કરે છે