પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને આગામી 2020ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત NCPમાંથી સર્વોચ્ચ પદ સોંપવામાં આવશે. 2020ની મનપા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં મજબૂતાઈ સાથે NCP ઝંપલાવશે. જેને લઈને પક્ષ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
2020ની ચૂંટણીમાં પ્રભુત્વ જમાવવા માટે પક્ષ દ્વારા શંકરસિંહને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપાઈ શકે છે. જેને લઈને આજે વસંત વગડામાં શક્તિ દળની બેઠક પણ બોલાવવા આવી છે. સંગઠનને મજબૂત બનાવવા માટે આ બેઠકમાં રણનીતિ ઘડાશે. મહત્વનુ છે કે, હાલમાં NCPના અધ્યક્ષ જયંત બોસ્કી છે. શંકરસિંહને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપ્યા બાદ પક્ષ દ્વારા જયંત બોસ્કીને અન્ય જવાબદારી સોંપવામાં આવશે.