રાજ્યમાં પાણીના સંકટને લઈને આજે એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ નવસારીના ગામડાઓનો પ્રવાસ કર્યો હતો. તેમણે સિંચાઇના પાણી અને પીવાના પાણી અંગે ખેડૂતો અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. નવસારીની મુલાકાતે આવેલા એનસીપીના નેતા શંકરસિંહે ગ્રામ્ય પંથકમાં ફરીને પાણીના પ્રશ્ને સરકારને આડેહાથ લીધી હતી અને જણાવ્યું હતું કે, સરકાર ખેડૂતોને પાણી આપવું જોઈએ. પશુઓ માટે પણ પાણી ના મળતુ હોય ત્યારે ખેડૂતોએ કેનાલમાંથી પાણી લેવુ પડે છે.