ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ અંગે સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યુ છે. દારૂબંધીને હટાવવી જોઈએ.
શંકરસિહં વાઘેલાએ ઉપાડી ઝુંબેશ
દારૂબંધીને હટાવવા કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં મુહિમ
ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાય છે
ગુજરાતમાં દારૂબંધીને લઈને શંકરસિંહ વાઘેલાએ બેફામ નિવેદન આપ્યા બાદ હવે દારૂબંધીના વિરોધનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. શંકરસિંહ વાઘેલાએ સોશિયલ મીડિયામાં દારૂબંધી હટાવવા માટે સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યુ છે.
હાલ કપલ ચેલેન્જથી લઈને અવનવી ચેલેન્જ સોશિયલ મીડિમાં વાયરલ થઈ રહી છે. ત્યારે હવે શંકરસિંહ વાઘેલાએ પણ દારૂબંધી હટાવવા ચેલેન્જ શરૂ કરી છે.
શું કહે છે શંકરસિંહ વાઘેલા?
સરકાર ખુદ પણ દારૂબંધીના હકમાં નથી માટે જ ગુજરાતમાં ખૂણે ખૂણે દારૂ વેચાઈ છે, તો નામ માત્રની દારૂબંધી રાખવાનો શું મતલબ? કે દારૂબંધી હટાવી લેવાથી ભાજપને મલાઈ બંધ થઈ જશે એ ડર છે? ભ્રષ્ટ દારૂબંધી ને હટાવવા સોશીયલ મીડિયા પર #AgainstLiquorBanChallenge સાથે પોસ્ટ કરી આ ઝુંબેશમાં જોડાઓ.
વીડિયોમાં પણ કર્યો છે ઉલ્લેખ
અગાઉ તેમણે વીડિયો પોસ્ટ કરીને પણ દારૂબંધીના નાટકને બંધ કરવા માટે એપ્રોચ કર્યો હતો.