ગુજરાતમાં ખેડૂત આંદોલનનો મુખ્ય ચેહરો હવે શંકરસિંહ વાઘેલા બનશે. શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટીકૈતને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.
ખેડૂત આંદોલનને લઇ મોટા સમાચાર
ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટીકૈત આવશે ગુજરાત
ગુજરાતમાં નવા 3 કૃષિકાયદા અંગે આંદોલન ઉભું કરાશે
ખેડૂત આંદોલનને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ખેડૂત આંદોલનનો મુખ્ય ચહેરો રાકેશ ટીકૈતને ગુજરાતનું આમંત્રણ અપાયું છે. ગુજરાતમાં નવા 3 કૃષિકાયદા અંગે આંદોલન ઉભું થઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં ખેડૂત આંદોલનનો મુખ્ય ચેહરો હવે શંકરસિંહ વાઘેલા બનશે. શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટીકૈતને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.
તારીખ 4 અને 5ના રોજ ટીકેત ખેડૂતો સાથે મુલાકાત કરશે. આ સાથે બારડોલીમાં દક્ષીણ ગુજરાતના ખેડૂતોને 4થી તારીખે રાકેશ ટીકૈત મળશે. જે બાદ અંબાજી ખાતે ઉત્તર ગુજરાતના ખેડૂતોને 5મી તારીખે મળશે.
ટિકૈતે કહ્યું છે કે ખેડૂતોને મજૂર બનાવવાની સાજિશ ચાલી રહી છે
ખેડૂત આંદોલનની જે મુહિમ ચાલી રહી છે તેમાં મહાપંચાયતમાં ભારતીય ખેડૂત યૂનિયનના રાષ્ટ્રિય પ્રવક્તા રાકેશ ટિકૈતે સરકાર પર પ્રહાર કર્યા છે. ટિકૈતે કહ્યું છે કે ખેડૂતોને મજૂર બનાવવાની સાજિશ ચાલી રહી છે. તેઓએ ખેડૂતોને સલાહ આપતા કહ્યું છે કે જો કોઈ સરકારી એજન્સી ખેડૂતોને ડરાવવાની કોશિશ કરે તો તેમને બંધક બનાવી લો. આ સમયે ટિકૈતે 26 જાન્યુઆરીની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. ટિકૈતે કહ્યું કે એક પાઈપ પર ધાર્મિક ઝંડો લગાવ્યો તો શું પાપ કરી લીધું. લાલ કિલ્લો તો સરકાર પહેલાં જ વેચી ચૂકી છે. તેઓએ હરિયાણાના સીએમને નિશાન બનાવ્યા અને કહ્યું કે સીએમ ખટ્ટરમાં હિંમત છે તો હેલિકોપ્ટરથી નીચે આવીને બતાવે.
26 માર્ચે પૂર્ણ રીતે ભારત રહેશે બંધ
રાકેશ ટિકૈતે કહ્યું કે ખેડૂતના હિતૈષી નેતાઓને એકલા સમજવાની કોશિશમાં સરકાર ન રહે. તેમની સાથે ખેડૂત અને સામાન્ય માણસ છે. તેઓએ કહ્યું કે 26 માર્ચે પૂર્ણ રીતે ભારત બંધ રહેશે. તેમાં રેલ અને સડક માર્ગ પર પણ ચક્કાજામ કરાશે. ટિકૈત બુધવારે મહમના 24 ચબૂતરા પર આયોજિત કિસાન- મજદૂર એકતા મહાપંચાયતમાં લોકોને સંબોધિત કરી રહ્યા હતા.