મેં શંકરસિંહને કહ્યું કે, આપણે ચૂંટણી પૂરી થયા બાદ સાથે ભોજન લઈશું.
શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેને લઈ ચર્ચાઓએ વેગ પકડી છે. ત્યારે ભાજપના પૂર્વ કોર્પોરેટરે એક નવો દાવો કરી દીધો છે. શંકરસિંહ વાઘેલાએ ભાજપના પૂર્વ કોર્પોરેટર્સ સાથે સંપર્ક વધાર્યા છે. જે મામલે મયુર દવેએ દાવો કર્યો છે કે, શંકરસિંહ વાઘેલાએ મને ગઈકાલે સંપર્ક કર્યો હતો. ફોન કરીને મને કહ્યું કે, મારે તમારા ઘરે ચા પીવા માટે આવું છે. મેં તે સમયે જ શંકરસિંહને મનાઈ કરી દીધી હતી.
મયુર દવેએ શું કહ્યું
મેં શંકરસિંહને કહ્યું કે, આપણે ચૂંટણી પૂરી થયા બાદ સાથે ભોજન લઈશું. આ સિવાય મારી બીજી કોઈ વાત થઈ નથી. હું સંઘપરિવારનો સદસ્ય છું. અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલો છું. જે ભાજપનો ઉમેદવાર આવશે. તેને હું જીતાડીશ. હું ભાજપનો સૈનિક છું અને રહીશ.
જો કે મહત્વની વાત એ છે કે, મયુર દવે ભાજપના પૂર્વ કોર્પોરેટર છે. અને 5 ટમથી ચૂંટાતા આવ્યા છે. ત્યારે ભાજપના આ વખતે નવા નિયમથી તેમને ટિકિટ મળશે કે નહીં. તે સવાલ છે. ભાજપે 3 ટર્મથી યથાવત્ કોર્પોરેટર્સને ટિકિટ આપવાની ના પાડી દીધી છે.
મયુર દવેના દાવાને શંકરસિંહના સમર્થકે નકાર્યા
તો બીજી તરફ શંકરસિંહ વાઘેલાના સમર્થક પાર્થેશ પટેલ દ્વારા મયુર દવેના દાવાને નકારી દેવામાં આવ્યો છે. પાર્થેશ પટેલે કહ્યું કે, મયુર દવે ખોટું બોલી રહ્યા છે. શંકરસિંહે તેમનો સંપર્ક કર્યો હોવાની વાતમાં કોઈ તથ્ય નથી. મયુર દવેની ટિકિટ કપાવાની સંભાવના હોય તેથી તે ખોટું બોલી રહ્યા હોઈ શકે છે.